એપશહેર

નાગરિકતા બિલ સામે પ્રદર્શન, વડાપ્રધાન મોદીએ કહ્યું- 'ડરવાની જરુર નથી'

Tejas Jinger | I am Gujarat 12 Dec 2019, 11:00 am
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill – CAB)લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. બિલ પાસ થયા બાદ દેશના આસામ અને ત્રિપુરામાં હિંસા ભડકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંસાના બદલે શાંતિ રાખવાની જરુર છે. વડાપ્રધાને એમ પણ કહ્યું કહ્યું છે કે આ બિલથી કોઈને નુકસાન નહીં થાય. મોદીનું આશ્વાસન, CABથી ડરવાની જરુર નથી વડાપ્રધાન મોદીએ આસામના હિતોની રક્ષાની વાત કરીને ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, “હું આસામના મારા ભાઈ-બહેનોને અપીલ કરવા માગું છું કે, હું CAB (Citizenship Amendment Bill)થી કોઈએ ચિંતિત થવાની જરુર નથી. હું તમને આશ્વસ્ત કરવા માગું છું કે કોઈ પણ પોતાના અધિકારી, વિશિષ્ટ ઓળખ અને સુંદર સંસ્કૃતિને તમારી પાસેથી છીનવી નહીં શકે. આ બધું પહેલાની જેમ જ ગતિમાન રહેશે.”
મોદીએ આ સાથે પૂર્વોત્તરના નાગરિકોને અપીલ કરી છે કે કેન્દ્ર સરકાર તેમના હિતોની સાથે હંમેશા ઉભી છે. વડાપ્રધાનને એક અન્ય ટ્વીટમાં લખ્યું છે, “કેન્દ્ર સરકાર અને હું તમારા બંધારણ, રાજકીય, ભાષાઓ, સંસ્કૃતિઓ અને જમીન નાગરિકો માટે ક્લોઝ 6 હેઠળ તમામ સુરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છે.” હિંસક ઘટનાઓ બાદ ઈન્ટરનેટ બંધ નાગરિકતા બિલ પર આસામ અને ત્રિપુરામાં હિંતા ભડક્યા પછી સ્થિતિ વધારે બગડી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આસામના 10 જિલ્લામાં ઈન્ટનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. હિંસા વધુ ના ભડકે તે માટે આસામ રાઈફલ્સના જવાનોની ટૂકડી તૈનાત કરવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો