એપશહેર

કેન્સરના દર્દીઓ માટે વરદાનરુપ, મુંબઈની આ હોસ્પિટલમાં હવે મળશે પ્રોટોન થેરાપી

Mitesh Purohit | Maharashtra Times 30 Jan 2020, 11:14 am
કેન્સરની સારવાર એક જટીલ પ્રક્રિયા અને ખૂબ જ પીડાદાયક હોય છે. કેન્સરની સારવાર દરમિયાન આપવામાં આવીત ટ્રિટમેન્ટમાં સામાન્ય રીતે કેન્સરગ્રસ્ત કોષની સાથે સાથે સ્વસ્થ અને આરોગ્યપ્રદ કોષો પણ નાશ પામે છે. જેના કારણે દર્દીનું આરોગ્ય પણ નબળું પડે છે. તેવામાં આ સારવાર માટે ખાસ પ્રોટોન થેરાપી મુંબઈમાં આવેલ ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં શરુ કરવામાં આવી છે. પ્રોટોન થેરાપી અંતર્ગત ફક્ત દર્દીના શરીરમાં રહેલા કેન્સરગ્રસ્ત કોષો જ ટાર્ગેટ કરીને નાશ કરી શકાય છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: સામાન્ય રીતે અત્યાર સુધી કેન્સરના દર્દીઓને રેડિએશન થેરાપી આપવામાં આવતી હતી. આ પ્રક્રિયામાં અનેકવાર શરીરના સ્વસ્થ કોષો પણ નાશ પામતા હતા. વિશ્વમાં હાલ ગણતરીના દેશોમાં જ આ પ્રોટોન બીમ થેરાપી ઉપલબ્ધ છે. હવે તેમાં ભારતની ટાટા કેન્સર મેમોરિયલ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. જોકે પ્રોટોન થેરાપી ખૂબ ખર્ચાળ પણ માનવામાં આવે છે. અમેરિકા જેવા દેશમાં પણ પ્રોટોન થેરાપી અતંર્ગત એક સર્કલ માટે લગભગ 10થી 12 લાખ રુપિયા જેટલો ખર્ચ આવે છે. જોકે ટાટા કેન્સર હોસ્પિટલમાં આ થેરાપી માટે દર્દીઓને રાહત આપતા 10 ટકા ઓછા ખર્ચે આ થેરાપી આપવામાં આવશે. તેમજ કેન્સરના ગરીબ દર્દીઓને આ થેરાપીનો ખૂબજ નજીવા ભાવે લાભ મળે તેવી પણ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે. આ મશીનની કિંમત અંદાજીત 550 કરોડ રુપિયા છે. આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં પ્રોટોન થેરાપી આપવાનું શરું કરી દેવામાં આવશે. ટાટા મેમોરિયલ હોસ્પિટલના ઓન્કોલોજિસ્ટ ડો. સિદ્ધાર્થ લશ્કરે કહ્યું કે, ‘આ થેરાપીનો ફાયદો કેન્સરગ્રસ્ત બાળકોને સૌથી વધુ મળશે. આ થેરાપીની મદદથી માથું, લિવર, મગજ, ગળા, સ્તન, વૃષણ જેવા અનેક પ્રકારના કેન્સરનો ઇલાજ કરવામં આવશે. કેન્સરની ગાઠની સારવાર માટે આ પ્રોટોન બીમ પદ્ધતી સૌથી વધુ કારગર સાબિત થઈ છે.’

Read Next Story