એપશહેર

એક મહિનાના બાળકે પાંચ દિવસમાં કોરોનાને હરાવ્યો, હોસ્પિટલમાંથી મળી રજા

NICUમાં દાખલ હતું નવજાત બાળક, તબીબોએ પાંચ દિવસ સુધી સતત દેખરેખ હેઠળ રાખીને સારવાર કરી.

I am Gujarat 15 Jan 2022, 1:11 pm

હાઈલાઈટ્સ:

  • રાજધાની દિલ્હીમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ.
  • એક મહિનાના બાળકને કોરોના થતાં દાખલ કરવામાં આવ્યું.
  • પાંચ દિવસમાં બાળકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat moolchand hospital
નવી દિલ્હી- દિલ્હીમાં કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. પાંચ દિવસ પહેલા જ એક મહિનાના બાળકનો કેસ સામે આવ્યો હતો, જે કોરોના સંક્રમિત થયો હતો. આ બાળકને શુક્રવારના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દિલ્હીની મૂલચંદ હોસ્પિટલમાં બાળકની સારવાર કરવામાં આવી હતી. બાળકનો ખોરાક ઘટી ગયો હતો અને ચિડીયાપણું પણ વધી ગયુ હતું, જેના કારણે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યુ હતું. તબીબોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે નવજાતને તાવ પણ છે અને કાનમાં પણ ઈન્ફેક્શન હતું.
ગુજરાતમાં કોરોનાના નવા 10019 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 55000ને પાર
હોસ્પિટલના બાળરોગોના નિષ્ણાંત ડોક્ટર પ્રિતી ચડ્ડા જણાવે છે કે, દર્દીને દાખલ કરતા પહેલા હોસ્પિટલમાં તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. અમે આ બાળકનો પણ ટેસ્ટ કર્યો અને તે કોરોના સંક્રમિત હતો. કોવિડ આઈસોલેશન NICUમાં તેને દાખલ કરવામાં આવ્યું. કાનના ઈન્ફેક્શનની સારવાર માટે એન્ટીબાયોટિક પણ આપવામાં આવ્યા. ચાર દિવસ સુધી તેની દેખરેખ કરવામાં આવી. આખરે જ્યારે તેની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો તો અમે તેને રજા આપવાનો નિર્ણય લીધો.

કેવી રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું CDS રાવતનું હેલિકોપ્ટર? તપાસ પંચે જણાવ્યું કારણ
ડોક્ટર આગળ જણાવે છે કે, પાછલા બે અઠવાડિયામાં અમે 3-5 એવા બાળકો જોયા જેઓ કોરોના સંક્રમિત હતા. તે બાળકોમાં સામાન્ય લક્ષણો હોવાને કારણે અમે ઘરે જ તેમને આઈસોલેટ કરવાની સલાહ આપીએ છીએ. જો બાળક કોઈ ગંભીર બીમારીનો સામનો ન કરી રહ્યો હોય તો અમે તેમને હોસ્પિટલમાં દાખલ નથી કરતા. ઉલ્લેખનીય છે કે પાછલા બે અઠવાડિયામાં બાળકોમાં કોરોનાના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ઘણાં ઓછા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર પડે છે.

AIIMSના એક તબીબ જણાવે છે કે, ભારતનો જે ડેટા છે તે અનુસાર કોરોના સંક્રમિત જે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમાંથી 40-60 ટકા એવા છે જેઓ કો-મોર્બિડિટી ધરાવતા હોય. 9 અને 12 જાન્યુઆરી દરમિયાન દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં 37 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો. ડેટા અનુસાર, 37માંથી 7 દર્દીઓ એવા હતા જેમની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. 3 બાળકો એવા હતા જેમની ઉંમર એક વર્ષથી પણ ઓછી હતી. આ બાળકો કોરોનાની સાથે સાથે થેલેસેમિયા, હૃદયરોગ જેવી બીમારીનો પણ શિકાર હતા.

દિલ્હી-મુંબઈમાં દૈનિક કેસમાં તીવ્ર ઘટાડો, ત્રીજી લહેરની પીક આવી ગઈ કે પછી બીજુ કંઈ?
દિલ્હીમાં આવેલી મધુકર રેઈન્બો ચિલ્ડ્રન્સ હોસ્પિટલના સીનિયર કન્સલ્ટન્ટ ડોક્ટર અનામિક દુબે જણાવે છે કે, પહેલી જાન્યુઆરીથી અમારી પાસે 10-12 કેસ આવ્યા હતા, પરંતુ મોટાભાગે તે બાળકો કુપોષણ અથવા ડિહાઈડ્રેશનનો શિકાર હોવાને કારણે અમારે દાખલ કરવા પડ્યા હતા. મોટાભાગના બાળકોમાં તાવ, ગળામાં ખારાશ, નાકમાંથી પાણી વહેવું, કફ વગેરે જેવા લક્ષણો જોવા મળતા હોય છે. ઘણાં ઓછા બાળકો ન્યૂમોનિયાનો શિકાર બને છે.

Read Next Story