એપશહેર

ડુંગળીના ભાવ પહોંચ્યા 45-50 રૂપિયે કિલો, સરકારે નિકાસ પર મૂક્યો પ્રતિબંધ

કોરોના મહામારી દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓમાં ડુંગળીની વધારે નિકાસ થઇ છે. દેશમાં ડુંગળીની કિંમતો વધી ગઇ છે અને સ્થાનિક બજારમાં તેની અછત છે

I am Gujarat 14 Sep 2020, 11:02 pm
નવી દિલ્હીઃ લોકડાઉને કારણે વેપાર ધંધા ધીમા છે તેવામાં હવે શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. જે ડુંગળી 20 રૂપિયે કિલો મળતી હતી તેના ભાવ હાલ 45થી 50 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેને ધ્યાનમાં રાખીને સરકારે તેના નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે.
I am Gujarat onion export banned government
ડુંગળીના ભાવ પહોંચ્યા 45-50 રૂપિયે કિલો, સરકારે નિકાસ પર મૂક્યો પ્રતિબંધ


ડાયરેક્ટ્રરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટિફિકેશનમાં કહ્યું કે, બધા પ્રકારની ડુંગળીની નિકાસ પર તત્કાલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાં બેંગલૂર રોજ અને કૃષ્ણાપુરમ ડુંગળી પણ સામેલ છે. અત્યાર સુધી ડુંગળીના આ પ્રકારની નિકાસ પર કોઈ પ્રતિબંધ નહોતો.

દેશમાં ડુંગળીની કિંમતો વધી ગઇ છે અને સ્થાનિક બજારમાં તેની અછત છે. કોરોના મહામારી દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓમાં ડુંગળીની વધારે નિકાસ થઇ છે. ભારતે એપ્રિલ-જૂન દરમિયાન 19.8 કરોડ ડોલરની ડુંગળીની નિકાસ કરી છે જ્યારે છેલ્લા એક વર્ષમાં 44 કરોડ ડ઼ોલર ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. ભારતમાંથી બાંગ્લાદેશ, મલેશિયા, યુએઇ અને શ્રીલંકામાં ડુંગળીની સૌથી વધુ નિકાસ થાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો