એપશહેર

નથી રહ્યો કોરોનાનો ડર? 60 વર્ષથી ઓછી ઉંમરના માત્ર 1% લોકોએ જ લીધો છે બૂસ્ટર ડોઝ

કોરોનાની રસીના બે ડોઝ પછી ત્રીજા ડોઝની પણ જાહેરાત કરવામાં આવી હતી. પહેલા 60થી વધારે ઉંમર ધરાવતા લોકો માટે આ ડોઝ ઉપલબ્ધ હતા, પરંતુ હવે 18થી 60ની વયજૂથના લોકો પણ બૂસ્ટર ડોઝ લઈ શકે છે. પરંતુ પ્રાપ્ત જાણકારી અનુસાર, 60 વર્ષથી ઓછી ઉંમર ધરાવનારા માત્ર 1 ટકા લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે.

Authored bySushmi Dey | Edited byZakiya Vaniya | TNN 30 Apr 2022, 8:35 am
નવી દિલ્હી- ઉલ્લેખનીય છે કે હવે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે 18 વર્ષથી વધારે ઉંમર ધરાવતી કોઈ પણ વ્યક્તિ બૂસ્ટર ડોઝ લઈ શકે છે, પરંતુ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા રિવ્યૂ કરવામાં આવેલા સત્તાવાર ડેટા અનુસાર, અત્યા સુધી 60 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા માત્ર 1 ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. 60 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકોની વાત કરીએ તો, લગભગ 42 ટકા લોકોએ બૂસ્ટર ડોઝનો લાભ લીધો છે.
I am Gujarat booster dose
ફાઈલ ફોટો


26 એપ્રિલના ડેટા અનુસાર, 18થી 59 વચ્ચે ઉંમર ધરાવતા માત્ર 4.68 લાખ લોકોએ ત્રીજો ડોઝ લીધો છે. અન્ય રીતે કહેવા જઈએ તો, 4.21 કરોડ રસી લેવા માન્ય લોકોમાંથી માત્ર 1.1 ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા બૂસ્ટર ડોઝ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે આટલા ઓછા પ્રમાણમાં રસીકરણ થયું તેની પાછળ વિવિધ કારણો જવાબદાર છે.

ગુજરાતમાં દારુબંધીના કાયદામાં સુધારો કર્યા બાદ લિકર પરમિટનું રિજેક્શન વધી ગયું
હોસ્પિટલોનું કહેવું છે કે 18થી 59 ઉંમર ધરાવતો વર્ગ ઘણો મોટો છે, અને જ્યારે તેમના માટે બૂસ્ટર ડોઝની શરુઆત કરવામાં આવી તો, ચોંકાવનારી વાત એ છે કે માંગ ઘણી ઓછી જોવા મળી. નિષ્ણાંતોનું માનવુ છે કે આની પાછળ બે કારણ જવાબદાર હોઈ શકે, મોટાભાગના લોકોએ રસીના બન્ને ડોઝ લઈ લીધા છે, તો શક્ય છે કે તેમને ત્રીજા ડોઝની જરૂર જણાતી ના હોય. આ સિવાય અત્યારે કોરોનાના કેસ પણ ઓછા છે. આ ઉંમરના લોકો સમય નીકાળીને રસીકરણ કેન્દ્ર સુધી ત્રીજા ડોઝ માટે જવામાં ઢીલ કરતા જણાઈ રહ્યા છે.

રતન ટાટા જીવનના અંતિમ દિવસો સ્વાસ્થ્ય સેવાને સમર્પિત કરશે, રસપ્રદ છે ભૂતકાળની એક ઘટના
ફોર્ટિસ હેલ્થકેર હોસ્પિટલના ગ્રુપ હેડ ડોક્ટર બિષ્ણુ જણાવે છે કે, એક વર્ગ એવો પણ છે જેમને લાગે છે કે હવે સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ ગઈ છે, અને તેમને ખબર નથી કે જો કોરોનાની રસી લીધેલી હોય તો દર્દીને દાખલ થવાની નોબત નથી આવતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં 6000 લોકોને સામેલ કરીને એક સર્વે કરવામાં આવ્યો, જેમાં સામે આવ્યું કે, તેમાંથી 30 ટકા લોકો એવા હતા જેમણે બૂસ્ટર ડોઝ લીધો હોવા છતાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સંક્રમણનો શિકાર બન્યા હતા. આ અભ્યાસના મુખ્ય લેખર આઈએમએના નેશનલ ટાસ્ક ફોર્સના કો-ચેરમેન છે. અભ્યાસમાં સામે આવ્યું કે, કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હોવા છતાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા 45 ટકા હતી

Read Next Story