એપશહેર

સુબ્રમણ્યન સ્વામીએ કલમ 370ને હટાવવાનો વિરોધ કરી રહેલાઓને આવું સંભળાવ્યું

નવરંગ સેન | I am Gujarat 5 Aug 2019, 3:19 pm
ભાજપના સાંસદ ડૉ. સુબ્રમનિયન સ્વામીએ આર્ટિકલ 370ને રદ્દ કરવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહને આ અંગે શુભેચ્છા આપતા સ્વામીએ કહ્યું હતું કે, કલમ 370 દૂર કર્યા બાદ હવે નહેરુ દ્વારા યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં દાખલ કરાયેલી પિટિશનને પણ પાછી ખેંચી લેવી જોઈએ. સ્વામીએ ઈમરાન ખાન અને ડોનાલ્ડ ટ્રમ્પની મિટિંગનો ઉલ્લેખ કરતા એમ પણ કહ્યું હતું કે હવે ટ્રમ્પને મધ્યસ્થી કરવાના બદલે પાકિસ્તાનને ભારતની ગેરકાયદે રીતે પડાવી લેવાયેલી જમીન પાછી આપવાનું કહેવા સિવાય બીજુ કશુંય કરવાનું રહેતું નથી. વિરોધ પક્ષો દ્વારા આ અંગે કરાઈ રહેલા વિરોધ અંગે સ્વામીએ કહ્યું હતું કે, જે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે તેમના પોતાના ઈરાદા પર પાણી ફરી વળ્યું છે, એટલે તેઓ વિરોધ કરી રહ્યા છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો