એપશહેર

તિહારમાં બગડી ચિદમ્બરમની તબીયત, AIIMSમાં લવાયા

Gaurang Joshi | I am Gujarat 28 Oct 2019, 7:15 pm
નવી દિલ્હીઃ તિહારમાં પૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમની તબીયત ખરાબ થયા પછી તેમને AIIMSમાં સારવાર હેઠળ ખસેડાયા છે. જોકે, તપાસ કર્યા પછી તેમને રજા આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર તેમને પેટમાં પરેશાની હતી પરંતુ હાલત સ્થિર થવાના કારણે તેમને રજા આપવામાં આવી હતી. હાલ તેઓ આઈએનએક્સ મીડિયા મામલે ઈડીની અટકાયતમાં છે. સીબીઆઈની અટકાયતના મામલે તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે. જોકે, INX મામલે સીબીઆઈ અને ઈડીએ અલગ અલગ કેસ દાખલ કર્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો ઘરના ભોજનની કરી હતી માગણી ચિદમ્બરમએ ઈડીના કેસમાં પણ જામીન માટે સુપ્રીમ કોર્ટને અરજી આપી હતી અને તેમણે પોતાના સ્વાસ્થ્યનું કારણ આગળ ધર્યું હતું પરંતુ તેમની અરજી ફગાવવામાં આવી હતી. તેમને કોર્ટમાં ઘરના ભોજનની પણ માગણી રાખી હતી. તેમણે કહ્યું હતું કે તિહાર જેલમાં મળતા ભોજનની તેમને આદત નથી. જેથી તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે અને ઝડપથી વજન પણ ઘટી રહ્યું છે. વિદેશ જવાની પરવાનગી નહીં જોકે, સુપ્રીમ કોર્ટે સીબીઆઈના કેસમાં તેમને જામીન આપી અને કહ્યું કે આ કેસમાં તેમની ધરપકડ ન થાય, જોકે, તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે ચિદમ્બરમને વિદેશ જવાની પરવાનગી નહીં હોય જેથી તે પૂછપરછ માટે હાજર રહી શકે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પુનર્વિચાર અરજી આપી છે અને કહ્યું છે કે ચિદમ્બરમને જામીન આપવા એ યોગ્ય નથી કારણકે તેમણે સાક્ષીઓને પ્રભાવિત કરવાની કોશિશ કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો