એપશહેર

PAK અધિકારીઓએ કોન્ફરન્સનો કર્યો બહિષ્કાર પણ ડિનર માટે પહોંચી ગયા ?

Gaurang Joshi | I am Gujarat 13 Sep 2019, 11:33 pm
નવી દિલ્હીઃ તાજેતરમાં થોડા દિવસોથી પાકિસ્તાનના વડાપ્રધાનથી લઈને મંત્રીઓ સુધી પોતાના ધડ-માથા વગરના નિવેદનોના કારણે પોતાના દેશને અસહજ સ્થિતિમાં મૂકી રહ્યાં છે તો હવે આ જ કડીમાં તેમના અધિકારીઓનું નામ પણ જોડાયું છે. પાકિસ્તાનના પ્રતિનિધિઓએ દિલ્હીમાં આયોજીત શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગનાઈઝેશન (SCO)ના મિલિટરી મેડિસિન કોન્ફરન્સના પહેલા દિવસે હાજરી ન આપી પરંતુ ડિનર કરવા પહોંચી ગયા હતાં. જેથી પાકિસ્તાનની ફરીથી મજાક ઉડી રહી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે,’પાકિસ્તાનના પ્રતિનિધિઓએ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગનાઈઝેશનના બે દિવસના મિલિટરી મેડિસિન કોન્ફરન્સમાં ભાગ ન લીધો અને માત્ર (ગુરુવાર)એ આયોજીત ડિનર સમારોહમાં પહોંચ્યા હતાં.’ નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કર્યા પછી પાકિસ્તાનના પીએમથી લઈને મંત્રીઓ સુધી બીનજરુરી નિવેદનો આપી રહ્યાં છે. નફ્ફટાઈની હદ તો ત્યારે થઈ જ્યારે ચંદ્રયાન મિશન દરમિયાન જ્યારે છેલ્લા સમયે વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટ્યો ત્યારે તેઓ ભારતીય વૈજ્ઞાનિકની મજાક પણ ઉડાવતા જોવા મળ્યા હતાં. ભારતના આંતરિક મામલે બોલતાં પાકિસ્તાનીઓની જીભ એ હદે લપસી હતી કે ક્યારેક પોતાના વિજ્ઞાન અને અલ્પજ્ઞાનના કારણે જાહેર મંચ પર ટ્રોલ થયા હતાં.
ગુરુવારે પીએમ ઈમરાન ખાને દાવો કરતા કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 58 દેશોએ કાશ્મીર અંગે તેનું સમર્થન આપ્યું છે. જ્યારે હકીકત એ છે કે માનવાધિકાર પરિષદના માત્ર 47 સભ્યો જ છે. ખોટા તથ્યો રજૂ કરનાર પાકિસ્તાનના વડાપ્રધાનની પછી આકરી ટીકા થઈ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો