એપશહેર

પાકિસ્તાનનું દુષ્કર્મ, સીઝફાયરનો ભંગ કર્યો

I am Gujarat 20 Sep 2016, 4:52 pm
શ્રીનગર: ઉરીમાં સેનાના કેમ્પ પર હુમલો કરવાને કારણે દેશભરના લોકો પાકિસ્તાન પર રોષે ભરાયા છે. પણ પાકિસ્તાન તેની હરકતો કરવાનું ચુકતુ નથી. રિપોર્ટસ પ્રમાણે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં મંગળવારે બપોરે ગોળીબારી શરુ કરી હતી. પાકિસ્તાન તરફથી ભારત તરફ લગભગ 20 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ, જેનો જવાબ ભારતીય સેનાએ પણ આપ્યો હતો.
I am Gujarat pakistan violates ceasefire in uri sector
પાકિસ્તાનનું દુષ્કર્મ, સીઝફાયરનો ભંગ કર્યો


સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને એલઓસી પર ગોળીબાર કર્યો હતો. જો કે આ હુમલામાં ભારતીય પોસ્ટને કોઈ નુકસાન નથી થયુ. ભારતીય સૈન્યએ પણ વળતો જવાબ આપ્યો હતો. 2003માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર સમજુતી થઈ હતી, જેનું પાકિસ્તાને આજે ઉલ્લંઘન કર્યુ હતુ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો