એપશહેર

રક્ષાબંધનનો દિવસ આ જાતિ માટે લઈને આવે છે દુઃખ, જાણો શું છે 13મી સદીથી ચાલતી આવતી પરંપરા

Paliwal Brahmins on Raksha Bandhan: હિન્દુઓની એક જાતિ છે, જેણે લાંબા સમયથી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવાનો ઈનકાર કર્યો છે. દેશભરમાં ફેલાયેલા લાખો પાલીવાલ બ્રાહ્મણો હકીકતમાં રક્ષાબંધનને શોકના દિવસ તરીકે ઉજવે છે અને તેમના પૂર્વજોની યાદમાં તર્પણ કરે છે. રક્ષાબંધનના દિવસે પાલીવાલ બ્રાહ્મણો 13મી સદીની એક દુ:ખદ ઘટનાને યાદ કરે છે.

Edited byHarshal Makwana | TNN 11 Aug 2022, 5:00 pm

હાઈલાઈટ્સ:

  • મુઘલ શાસક દ્વારા લૂંટના ઈરાદા સેના સાથે પાલીવાલ બ્રાહ્મણો પર હુમલો કર્યો હતો
  • મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ સહિત પાલીવાલ બ્રાહ્મણોની હત્યા કરી હતી
  • હત્યાકાંડ બાદ પુરુષોના 50 કિલો પવિત્ર દોરા અને મહિલાઓની 3,340 કિલો બંગડીઓ મળી આવી હતી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Paliwal Brahmins on Raksha Bandhan
દેશમાં રક્ષાબંધનનો દિવસ આ જાતિ માટે લઈને આવે છે દુઃખ, જાણો શું છે 13મી સદીથી ચાલતી આવતી પરંપરા
Paliwal Brahmins on Raksha Bandhan: રક્ષાબંધનનો તહેવાર સમગ્ર દેશમાં ભારે ઉષ્મા અને ઉત્સવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યાં હિન્દુઓની એક જાતિ છે, જેણે લાંબા સમયથી આ તહેવારની ઉજવણી કરવાનો ઈનકાર કર્યો છે. દેશભરમાં ફેલાયેલા લાખો પાલીવાલ બ્રાહ્મણો હકીકતમાં રક્ષાબંધનને શોકના દિવસ તરીકે ઉજવે છે અને તેમના પૂર્વજોની યાદમાં તર્પણ કરે છે. રક્ષાબંધનના દિવસે પાલીવાલ બ્રાહ્મણો 13મી સદીની એક દુ:ખદ ઘટનાને યાદ કરે છે, જેમાં તેમના ઘણા પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની હત્યા થઈ હતી.
પાલીવાલ બ્રાહ્મણો રક્ષાબંધન ઉજવતા નથી
જેસલમેરમાં પાલીવાલ સમાજના વરિષ્ઠ સભ્ય ઋષિદત્ત પાલીવાલે જણાવ્યું હતું કે, અમે પાલીવાલ બ્રાહ્મણો પહેલાં ગૌર બ્રાહ્મણો તરીકે ઓળખાતા હતા. પાછળથી અમે પાલીમાં રહેતા હોવાથી, અમે પાલીવાલ બ્રાહ્મણો તરીકે ઓળખાયા. અમે રક્ષાબંધન ઉજવતા નથી. અમે અમારા પૂર્વજોને યાદ કરીએ છીએ, અને આ દિવસે તર્પણ કરીએ છીએ.

મુઘલ શાસક દ્વારા હત્યાકાંડ કરવામાં આવ્યો હતો
ઈતિહાસકાર નંદકિશોર શર્માએ જણાવ્યું હતું કે, પાલીવાલ બ્રાહ્મણોની રક્ષાબંધન ન ઉજવવાની પરંપરા ઓછામાં ઓછી 700 વર્ષ જૂની છે. શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે મુઘલ શાસકની સેના દ્વારા હત્યાકાંડ કરવામાં આવ્યો, ત્યારથી પાલીવાલ બ્રાહ્મણો તેમના પરિવારોનું રક્ષણ કરવામાં અસમર્થતા માટે પસ્તાવો અનુભવે છે. તેથી જ તેઓ રક્ષાબંધન ઉજવતા નથી.

મોટી સંખ્યામાં પાલીવાલ બ્રાહ્મણોની હત્યા કરવામાં આવી
તે 1291-92નો સમય હતો, જ્યારે દિલ્હીમાં મુઘલ શાસક ફિરોઝ શાહ બીજાએ પાલી વિસ્તારોમાં રહેતા લોકોને લૂંટવાના ઈરાદા પોતાની સેના સાથે પાલીવાળાઓ પર હુમલો કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા, અને તેમાંથી ઘણા બ્રાહ્મણો હતા, જેઓ લાખોરિયા તળાવમાં તર્પણ કરવા માટે ભેગા થયા હતા. તેમના મૃતદેહોને ઘણી ગાયોના મૃતદેહ સાથે તળાવમાં ફેંકી દેવામાં આવ્યા હતા, જેઓને પણ લૂંટારૂ મુઘલ સૈનિકોએ મારી નાખ્યા હતા.

હત્યાકાંડ બાદ પાલીવાલ બ્રાહ્મણોએ સ્થળાંતર કર્યું
આ હત્યાકાંડ થયા પછી આ વિસ્તારમાંથી પુરુષોના 50 કિલો પવિત્ર દોરા અને મહિલાઓની 3,340 કિલો બંગડીઓ મળી આવી હતી. ત્યારબાદ બ્રાહ્મણો પાલીને કાયમ માટે છોડીને જેસલમેર આવ્યા, જ્યાં તેઓએ 84 ગામડાં વસાવ્યાં અને તેમની વસ્તી 4 લાખથી વધુ હતી. પાલી દિવાલવાળા શહેરની અન્ય જગ્યાઓમાંથી પાલીવાલ બ્રાહ્મણો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત માટે રવાના થયા તેમ શર્માએ જણાવ્યું હતું.

ઋષિદત્ત પાલીવાલે જણાવ્યું હતું કે, આ હુમલામાં માર્યા ગયેલા પુરુષોના પવિત્ર દોરાઓ (યજ્ઞોપવીત તરીકે વપરાય છે) અને મહિલાઓની બંગડીઓ પાલીના ધોલીતાણામાં રાખવામાં આવી છે.

Read Next Story