એપશહેર

બિહારની દારૂબંદીને હાઈકોર્ટે ગણાવી 'ગેરકાયદેસર'

I am Gujarat 30 Sep 2016, 5:15 pm
પટના
I am Gujarat patna high court strikes down bihar govt prohibition of liquor act
બિહારની દારૂબંદીને હાઈકોર્ટે ગણાવી 'ગેરકાયદેસર'

બિહારની નીતીશ કુમાર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. પટના હાઈકોર્ટે બિહાર સરકારના દારૂબંદીના એક્ટને ‘ગેરકાયદેસર’ ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં દારૂબંદી કરવી તે વિધાનસભાની ચૂંટણી સમયથી જ નીતીશ માટે મહત્વનો પ્રોજેક્ટ રહ્યો છે. જેડીયૂ દ્વારા તેને કાયદાકીય રીતે નીતીશ કુમાર સમગ્ર દેશમાં આ નિયમ લાગૂ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

બિહાર સરકાર આ કાયદાને વધુ સખત કરવા માટે પ્રયત્ન કરી રહી છે. કાયદામાં એવું પ્રાવધાન હતું કે જો કોઈના ઘરે દારૂની બોટલ મળે તો તે પરિવારના મુખ્ય વ્યક્તિને જેલ જવું પડી શકે છે. એપ્રિલમાં લાવવામાં આવેલા આ કાયદા મુજબ રાજ્યમાં દારૂ બનાવવા, વેચવા અને પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આ વર્ષે જુલાઈ મહીના સુધીમાં સાત હજાર લોકો જેલ પણ જઈ ચૂક્યા છે.
#FLASH Patna High Court strikes down Bihar Govt’s Prohibition of Liquor Act, terms it “illegal” — ANI (@ANI_news) September 30, 2016 નીતીશે ચૂંટણી પહેલા મહિલા વોટરોને વાયદો આપ્યો હતો કે તેઓ રાજ્યમાં દારૂ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવશે. સતામાં આવ્યા બાદ તેમણે આ વાયદો પણ પૂરો કર્યો. સુપ્રીમ કોર્ટે શુક્રવારે બીજેપી નેતા અશ્વની ઉપાધ્યાયની અરજીને રદ્દ કરી જેમાં સમગ્ર દેશમાં દારૂબંદી લાગુ કરવાની અપીલ કરવામાં આવી હતી.

દારૂબંદીને કારણે રાજ્યમાં થઈ રહેલા નુકસાન અંગે નીતીશ કુમારનું કહેવું હતું કે પ્રતિબંધને કારણે લોકોના હજારો કરોડ રૂપિયા બચાવ્યા છે, જેનો ઉપયોગ તેઓ સારી વસ્તુઓ પર કરી શકે છે. નીતીશે દેશી તેમજ વિદેશી તમામ પ્રકારના દારૂ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, સહયોગી આરજેડીના દબાવમાં આવી તાડી પર લાગેલા પ્રતિબંધને પરત લઈ લેવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા બિલમાં ફેરફાર પછી કાયદામાં જોડાલી કલમો ગેરકાયદેસર થઈ ગઈ છે. જેના કારણે જામીન પોલીસ સ્ટેશનને બદલે માત્ર કોર્ટમાંથી જ મળી શકે છે. આ સખત કાયદમા જો કોઈના ઘરમાં દ્રાક્ષ કે ગોળનું મિશ્રણ ભરેલું વાસણ મળી આવે તો તે પરિવારજનોની અટકાયત કરી શકે છે.

Read Next Story