એપશહેર

અહમદ પટેલના નિધન બાદ તેમની જગ્યાએ કોંગ્રેસના કોષાધ્યક્ષ તરીકે આ નેતાને મળી જવાબદારી

પાંચ વખતના સાંસદ અને વરિષ્ઠ નેતાને કોંગ્રેસના ખજાનચી તરીકે વચગાળાની જવાબદારી મળી

I am Gujarat 28 Nov 2020, 6:59 pm
નવી દિલ્હીઃ પાંચ વખતના સાંસદ અને વરિષ્ઠ નેતા પવનકુમાર બંસલને કોંગ્રેસના વચગાળાના કોષાધ્યક્ષ (ખજાનચી) બનાવવામાં આવ્યા છે. સોનિયા ગાંધીના સલાહકાર અને પાર્ટીના ખજાનચી અહેમદ પટેલના અચાનક નિધનને કારણે આ પદ ખાલી હતું. કોંગ્રેસ અધ્યક્ષ પદની જેમ જ ખજાનચીનું પદ પણ વચગાળાનું બનાવવામાં આવ્યું છે.
I am Gujarat pawan kumar bansal gets interim charge as congress treasurer after ahmed patels demise
અહમદ પટેલના નિધન બાદ તેમની જગ્યાએ કોંગ્રેસના કોષાધ્યક્ષ તરીકે આ નેતાને મળી જવાબદારી


પવનકુમાર બંસલ ચંદીગઢથી ચાર વખત લોકસભાના સાંસદ અને પંજાબના રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેમણે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા અને પક્ષના સંશોધન અને સંદર્ભ સેલના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું છે. બંસલનો પહેલો મોટો રાજકીય અનુભવ પંજાબ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે હતો.

પવનકુમાર બંસલે કહ્યું કે, 'હું કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો આભાર માનું છું કે તેઓએ મારામાં વિશ્વાસ કર્યો છે અને સંપૂર્ણ જવાબદારી સાથે ફરજો નિભાવવા બદલ.'

પવનકુમાર બંસલ


વ્યવસાયે વકીલ પવનકુમાર બંસલનો જન્મ 16 જુલાઈ 1948 માં થયો હતો. ચંદીગઢ સંસદીય મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા બંસલ ચાર વખત લોકસભા માટે ચૂંટાયા હતા. રેલ્વે પ્રધાન સિવાય તેઓ સંસદીય બાબતોના પ્રધાન, વિજ્ઞાન અને તકનીકી પ્રધાન અને જળ સંસાધન પ્રધાન રહી ચૂક્યા છે.

Read Next Story