એપશહેર

કાશ્મીર: આતંકીઓ સામે સેનાનો અંતિમ પ્રહાર શરૂ, લોકોને ઘરની બહાર ન નીકળવા તાકીદ

આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત છે. સેનાએ આ આખા વિસ્તારમાં નજર રાખવા માટે પેરા કમાન્ડો અને હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.

I am Gujarat 19 Oct 2021, 9:31 pm

હાઈલાઈટ્સ:

  • પાસેના જંગલમાં છુપાયેલા આતંકવાદીઓ પર અંતિમ હુમલાની સેના તૈયારી કરી રહી છે.
  • આસપાસના વિસ્તારોમાં સ્થાનિક મસ્જિદોમાંથી આ જાહેરાત કરવામાં આવી છે કે લોકો ઘરની અંદર રહે.
  • લોકોને કહેવામાં આવ્યું છે કે તેઓ જંગલ તરફ જાય નહીં અને પશુઓને પણ ઘરમાં જ રાખે.

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat q6
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ બિન-કાશ્મીરી લોકોની હત્યા કર્યા બાદ સેના તરફથી પ્રહાર શરૂ થઈ ગયો છે. સુરક્ષાદળે પૂંછ જિલ્લાના મેંઢર વિસ્તારમાં લોકોને ઘરની અંદર રહેવા માટે જણાવ્યું છે. કારણકે છુપાયેલા આતંકવાદીઓને સેના ભાગવા નહીં દે. પાસેના જંગલમાં છુપાયેલા આતંકવાદીઓ પર અંતિમ હુમલાની સેના તૈયારી કરી રહી છે.
આસપાસના વિસ્તારોમાં સ્થાનિક મસ્જિદોમાંથી આ જાહેરાત કરવામાં આવી છે કે લોકો ઘરની અંદર રહે. લોકોને કહેવામાં આવ્યું છે કે તેઓ જંગલ તરફ જાય નહીં અને પશુઓને પણ ઘરમાં જ રાખે. અધિકારીઓએ કહ્યું કે જેઓ બહાર ગયા છે તેઓ પોતાના પશુ સાથે જલદી ઘરે પરત ફરે.

પૂંછ અને રાજૌરીમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવાઈ રહેલું આ અભિયાન નવમાં દિવસમાં પ્રવેશ્યું છે. આ સમગ્ર ઓપરેશનમાં અત્યાર સુધીમાં 9 સુરક્ષાકર્મી જીવ ગુમાવી ચૂક્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત છે. સેનાએ આ આખા વિસ્તારમાં નજર રાખવા માટે પેરા કમાન્ડો અને હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.

આ વિસ્તાર પહાડી છે અને ગાઢ જંગલ છે, જેના કારણે ઓપરેશન વધુ મુશ્કેલ અને ખતરનાક થઈ ગયું છે. પૂંછના સુરનકોટ વિસ્તારમાં 12 ઓક્ટોબરે થયેલી ગોળીબારીમાં એક જેસીઓ સહિત સેનાના 5 જવાન શહીદ થઈ ગયા હતા. 14 ઓક્ટોબરે વધુ 2 જવાન શહીદ થયા હતા અને શનિવારે 16 ઓક્ટોબરે વધુ એક જેસીઓ અને એક જવાનના શબ મળી આવ્યા હતા.

અહીં નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા બિન-કાશ્મીરી વ્યક્તિઓના ટાર્ગેટ કિલિંગમાં અત્યાર સુધી 11 વ્યક્તિઓની હત્યા કરી છે. આતંકીઓ દ્વારા હત્યાકાંડ બાદ પોલીસ દ્વારા પણ આતંકીઓને શોધી શોધીને ઠાર મારવામાં આવી રહ્યા છે. હત્યાકાંડમાં સામેલ ચાર આતંકીઓને પોલીસે ઠાર માર્યા છે. આતંકીઓનો સફાયો કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો