એપશહેર

'મૃત્યુદર ઘટાડવામાં પ્લાઝમા થેરાપી બિનઅસરકારક, બંધ થઈ શકે છે ઉપયોગ'

કોરોનાના દર્દીઓની સારવારમાં વપરાપી પ્લાઝમા થેરાપી હટાવાય તેવી શક્યતા છે. મૃત્યુદરને ઘટાડવામાં આ સારવાર બિનઅસરકારક છે, તેમ ICMRના ચીફે કહ્યું હતું.

Reported bySushmi Dey | Written byમિત્તલ ઘડિયા | TNN 21 Oct 2020, 9:40 am
સુષ્મિ ડે, ન્યૂ દિલ્હીઃ કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં વપરાતી પ્લાઝમા થેરાપીને બંધ કરવામાં આવે તેવી શક્યતા છે. ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ના ચીફ ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, ગંભીર દર્દીઓના મૃત્યુદરને ઘટાડવામાં આ સારવાર બિનઅસરકારક છે. તેમણે કૉન્વલેસન્ટ પ્લાઝમા થેરાપી પરના ભારતની સ્ટડીને ટાંકતા તેમ પણ કહ્યું હતું કે, આ થેરાપીનો ઉપયોગ બંધ કરવામાં આવે તેવી શક્યતા છે.
I am Gujarat PLASMA THERAPY


'અમે 39 હોસ્પિટલોમાં 464 દર્દીઓ અને 350થી વધુ ઓથર્સની સાથે દુનિયામાં પ્લાઝમા થેરાપી પર સૌથી મોટી ટ્રાયલ હાથ ધરી હતી. હવે તે BMJ (ધ બ્રિટિશ મેડિકલ જર્નલ)માં સ્વીકારવામાં આવી છે અને અમને પૂરાવા મળ્યા છે, જે ટૂંક સમયમાં દેખાશે...હાર્ડકોર સાયન્સના 10થી વધુ પેજમાં કોવિડ-19માં પ્લાઝમાની ભૂમિકા વિશે વાત કરવામાં આવી છે', તેમ ડો. ભાર્ગવે કહ્યું હતું.

'અમે નેશનલ ટાસ્ક ફોર્સમાં આ વિશે ચર્ચા કરી છે અને જોઈન્ટ મોનટરિંગ ગ્રુપની સાથે વધુમાં વાતચીત કરી રહ્યા છે કે પ્લાઝમા થેરાપીને નેશનલ ગાઈડલાઈન્સમાંથી હટાવી શકાય તેમ છે. વાતચીત ચાલુ છે અને અમે તે દિશામાં પહોંચી રહ્યા છીએ', તેમ તેમણે ઉમેર્યું હતું.

સપ્ટેમ્બર મહિનામાં અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ રિપોર્ટ રજૂ કર્યો હતો કે, ICMRના કંટ્રોલ ટ્રાયલ્સમાંથી એકના પ્રારંભિક પુરાવાએ કૉન્વલેસન્ટ પ્લાઝમાની અસરકારતા પર કેટલાક કિસ્સાઓમાં પ્રતિકૂળ પ્રતિક્રિયાની શક્યતા વ્યક્ત કરી છે, જો કે આ સારવારથી મૃત્યુદરમાં ઘટાડો થયો નથી અથવા તેનાથી ગંભીર બીમારીમાં ઘટાડો થયો નથી

ડો.ભાર્ગવની ટિપ્પણીઓ મહત્વ ધરાવે છે કારણે હવે ઘણા રાજ્યોએ પ્લાઝમા બેંકની સ્થાપના કરી છે, જો કે, તેની અસરકારકતા સ્થાપિત કરવાના ટ્રાયલનાં પરિણામો પ્રકાશિત થવાના બાકી છે. સારવારની મંજૂરી ઈન્વેસ્ટિગેટિવ થેરાપી કેટેગરી હેઠળ આપવામાં આવી છે અને હોસ્પિટલો તેના ઉપયોગ માટે ચાર્જ પણ લે છે.

હાલમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે કૉન્વલેસન્ટ પ્લાઝમા થેરાપીને મંજૂરી આપવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો