એપશહેર

દેશમાં પહેલીવાર પ્લાઝમા થેરાપી દ્વારા દર્દીએ કોરોના સામેની જંગ જીતી

Yogesh Gajjar | I am Gujarat 27 Apr 2020, 9:46 am
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે અને આ મહામારીની સારવાર માટે નવા નવા પ્રયોગ થઈ રહ્યા છે. એવામાં પ્લાઝમા થેરાપી ટેકનિકથી સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર્સ અને એક્સપર્ટ્સ વચ્ચે એક નવી આશાનું કિરણ જાગ્યું છે. આ ટેકનિક દ્વારા દેશમાં પહેલા દર્દીની સફળ સારવાર કરાઈ અને હવે તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:દિલ્હીના રહેનારો 49 વર્ષનો એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળ્યા બાદ સાકેતની મેક્સ હોસ્પિટલમાં એડમિટ કરાવાયો હતો. કોરોનાથી પીડિત આ દર્દીનું પ્લાઝમા થેરાપી દ્વારા સારવાર સફળ રહી. તેને હવે હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ.49 વર્ષના આ વ્યક્તિમાં 4 એપ્રિલે કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. જે બાદ મેક્સ હોસ્પિટલમાં તેને એડમિટ કરાયો હતો. હોસ્પિટલમાં એડમિટ કરાયા બાદ દર્દીની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ. જે બાદ તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો.શ્વાસ લેવામાં પરેશાની બાદ તેને નિમોનિયા થઈ ગયો. આ બાદ 8 એપ્રિલે તેને વેન્ટીલેટરમાં રખાયો હતો. જ્યારે દર્દીની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો તો તેના પરિવારે પ્લાઝમા થેરાપીથી સારવાર કરવા માટે ડોક્ટરને વિનંતી કરી. ભારતમા કોરોના સામે પહેલીવાર કોઈ દર્દી પર પ્લાઝમા થેરાપી ટેકનિકનો ઉપયોગ કરાયો.પીડિત પરિવાર જ પ્લાઝમા આપનારની વ્યવસ્થા કરી. પ્લાઝમા ડોનેટ કરતા પહેલા ડોનરનો હિપેટાઈટિસ બી, હિપેટાઈટિસ સી અને HIV સાથે કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો. તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ડોનરના પ્લાઝમા લેવાયા. ગંભીર રૂપથી બીમાર 49 વર્ષા દર્દીને 14 એપ્રિલ સારવાર માટે ટેકનિકના પ્રોટોકોલ અંતર્ગત પ્લાઝમા અપાયા હતા.ડોક્ટર મુજબ, એક ડોનર 400 મિલીમીટર પ્લાઝમા દાન કરી શકે છે. જેનાથી બે લોકોના જીવ બચાવી શકાય છે. 200 મિલિમીટર પ્લાઝમા એક દર્દીની સારવાર માટે પર્યાપ્ત હોય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો