એપશહેર

શપથ ગ્રહણમાં ન આવ્યા PM મોદી, કેજરીવાલે બોલ્યા...

Shailesh Thakkar | I am Gujarat 16 Feb 2020, 11:13 pm
નવી દિલ્હી: PM મોદીએ AAP સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હીના CM પદના શપથ લેવા પર શુભેચ્છા પાઠવી, જ્યારબાદ કેજરીવાલે જવાબ આપતા તેમનો આભાર વ્યક્ત કર્યો. સાથે જ તેમણે કહ્યું કે, ‘તમે આ પ્રસંગે હાજર રહ્યાં હોત તો સારું.’ જણાવી દઈએ કે, કેજરીવાલે PM મોદીને પણ આમંત્રણ મોકલાવ્યું હતું પણ તે પોતાના સંસદીય વિસ્તારમાં વારાણસીના પ્રવાસે હતા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:PM મોદીએ ટ્વીટ કર્યું, ‘હું આજે દિલ્હીના CM પદના શપથ લેવા માટે અરવિંદ કેજરીવાલને શુભેચ્છાઓ આપુ છું. હું તેમના ફળદાયી કાર્યકાળની કામના કરું છું.’ આના પર કેજરીવાલે આભાર વ્યક્ત કરતા રીટ્વીટ કરી, ‘તમારી શુભેચ્છાઓ માટે આભાર. તમે આજે આવ્યા હોત તો સારું હોત, પણ હું સમજી શકું છું કે, તમે વ્યસ્ત હતા. આપણે તમામ ભારતીયો માટે દિલ્હીને ગર્વનું શહેર બનાવવા માટે સાથે કામ કરવું પડશે.’
ઉલ્લેખનીય છે કે, આજે શપથ લીધા બાદ પોતાની સરકારનું માળખું નક્કી કરતા અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીના ઝડપી ગતિએ વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ માગ્યા અને કહ્યું કે, લોકોએ ભલે અલગ-અલગ પાર્ટીઓને વોટ આપ્યા હોય પણ તે બધાના મુખ્યમંત્રી છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ઐતિહાસિક રામલીલા મેદાનમાં કેજરીવાલને મુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા. તેમના મંત્રિમંડળના સહયોગીઓ – મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, ઈમરાન હુસૈન, રાજેન્દ્ર પાલ ગૌતમ અને કૈલાશ ગહલોતે પણ પદ તથા ગોપનીયતાના શપથ લીધા.જણાવી દઈએ કે, ગત કાર્યકાળમાં CM કેજરીવાલે PM મોદીના નેતૃત્વવાળી સરકાર પર તેમને કામ ન કરવા દેવાના ગંભીર આરોપ લગાવ્યા હતા કે એલજી દ્વારા તેમના કામમાં અડચણો પેદા કરવામાં આવી રહી છે અને તેઓ પોતાના મંત્રીઓ સાથે એલજીના આવાસ સામે ધરણાં પર બેસી ગયા હતા. હવે એ જોવાનું મહત્વપૂર્ણ રહેશે કે, આ કાર્યકાળમાં કેન્દ્ર અને દિલ્હી સરકારના સંબંધો કેવા રહે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો