એપશહેર

15 ઓગષ્ટે ખેડૂતોને ગિફ્ટ આપી શકે છે પીએમ મોદી

Hitesh Mori | I am Gujarat 25 Jul 2017, 11:48 pm
I am Gujarat pm modi expected to make big announcement for farmers in independence day speech
15 ઓગષ્ટે ખેડૂતોને ગિફ્ટ આપી શકે છે પીએમ મોદી


ખેડૂત, ગરીબ અને દલિતો માટે મોટી યોજના

PM નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો) નરેન્દ્ર નાથ, નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાથી સ્વતંત્રતા દિવસ પર દેશના નામે ચોથા ભાષણમાં ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને મોટી યોજના ગિફ્ટ કરી શકે છે. ખેડૂત, ગરીબ અને દલિત વચ્ચે પોતાના જનઆધાર વચ્ચે જનધાર મજબૂત કરવા માટે 15 ઓગષ્ટે મોટી યોજનાઓની જાહેરાત કરી શકે છે. સૂત્રો અનુસાર આ યોજના ખેડૂત અને ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે જોડાયેલી હોઈ શકે છે.

નવી યોજના માટે કમિટી બનાવી

PM નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો) હાલના દિવસોમાં ખેડૂતોની સમસ્યાને લઈને સરકારનો ચર્ચાનો વિષય બની છે. કેટલાક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કર્યા બાદ અન્ય રાજ્યોમાંથી પણ માંગ ઉઠી રહી છે. આ ઉપરાંત પીએમ ગરીબોને દર મહિને નિશ્ચિત ગેરંટી આવકવાળી યોજના શરૂ કરવાનો સંકેત આપ્યો છે. પીએમએ નવી યોજનાની સંભાવના શોધવા માટે 4 મંત્રીઓની કમિટી બનાવી હતી. આ કમિટીએ સ્વતંત્રતા દિવસ પર આવી ઘોષણા કરવાનો આગ્રહ કર્યો છે.

કમિટીમાં ચાર પ્રધાનો

PM નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો) કમિટીમાં અરૂણ જેટલી, રાજનાથ સિંહ, નિતિન ગડકરી અને ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ થાય છે. પીએમનું ભાષણ આ વખતે દેશ, ગરીબ અને કરપ્શનની થીમ પર હશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો