એપશહેર

પીએમ મોદીએ જણાવ્યું, કેમ ખાનગીકરણ પર ભાર આપી રહી છે સરકાર

આજે પીએમ મોદીએ ખાનગીકરણ પર આયોજિત વેબિનારમાં જણાવ્યું કે, ખાનગીકરણ કેમ જરૂરી બની ગયું છે. તેમણે કહ્યું કે, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝથી સરકાર ઉપરાંત દેશને પણ નુકસાન થઈ રહ્યું છે.

I am Gujarat 24 Feb 2021, 7:52 pm
નવી દિલ્હી: પીએમ મોદીએ આજે ખાનગીકરણને લઈને આયોજિત કરાયેલા એક વેબિનારમાં ઘણી મહત્વની વાતો કરી. તેમણે એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે, ખાનગીકરણ કેમ જરૂરી થઈ ગયું છે અને ઘણી બધી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝથી સરકારને અને દેશને શું નુકસાન થઈ રહ્યું છે.
I am Gujarat PM Modi on Privatisation


પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે પબ્લિક સેક્ટરની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે તેની જરૂર હતી. આજેની જરૂરત છે ખાનગીકરણ. લોકોના રૂપિયાનો યોગ્ય ઉપયોગ કરવા માટે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ઘણી બધી એવી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ છે, જે સતત નુકસાનમાં ચાલી રહી છે. એવામાં સરકારને અવાર-નવાર આ એન્ટરપ્રાઈઝની મદદ કરવી પડે છે અને ટેક્સપેયર્સના રૂપિયા જ તેમાં ખર્ચ થાય છે.

પીએમએ કહ્યું કે, કોઈ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝને માત્ર એટલા માટે ન ચલાવતા રહેવું જોઈએ કે તે ઘણા વર્ષોથી ચાલી રહી છે કે પછી તેનાથી ઘણા લોકોનું પેટ ભરાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, આ એન્ટરપ્રાઈઝની માલિક સરકાર જ રહે તે જરૂરી નથી. એવું કરવાથી સરકારનું ધ્યાન કલ્યાણકારી યોજનાઓથી હટી જાય છે અને સાથે જ સરકારના રૂપિયા અને સંસાધન પણ લાગે છે. તેમણે કહ્યું કે, એક ટેલેન્ટેડ સરકારી અધિકારીને કોઈ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝમાં મૂકી દેવા તેના ટેલેન્ટ સાથે અન્યાય છે, એ એન્ટરપ્રાઈઝની સાથે અન્યાય છે અને સાથે જ દેશની જનતા સાથે પણ અન્યાય છે.


પીએમએ કહ્યું કે, સરકારને બિઝનેસ કરવાથી ઘણું નુકસાન થાય છે અને તેની ભરપાઈ કરવા વિશે પણ વિચારવું પડે છે. તેમણે કહ્યું કે, સરકારો એવું વિચારતી આવી છે કે, જેવું ચાલી રહ્યું છે ચાલવા દો, આવનારી સરકારે તેનો ઉકેલ લાવશે અને કાયમથી ચાલતું જ આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, હવે તેમાંથી બહાર નીકળવું પડશે, કેમકે જ્યારે ખાનગીકરણ વધે છે, તો આધુનિકતા વધે છે, બિઝનેસનો વિસ્તાર થાય છે, સારું મેનેજમેન્ટ થાય છે અને આ બધાને પગલે દેશમાં રોજગારીની નવી તકો આવે છે.

Read Next Story