નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાનમાં બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનના બીજા અને છેલ્લા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર હુમલો કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તો કોંગ્રેસને 12 વર્ષ સુધી તેમને હેરાન કર્યા, પરંતુ તેમને કાયદા અને સંસ્થાઓ પર વિશ્વાસ હતો. મોદીએ કોંગ્રેસ પર દેશની સંવૈધાનિક સંસ્થાઓના અપમાનનો આરોપ લગાવ્યો છે. બીજેપી કાર્યકર્તાઓને ચૂંટમીમાં સખત મહેનત કરવાનું આહ્વાન કરતા કહ્યું કે, આ લડાઈ સત્તા અને સંવિધાનમાં આસ્થા રાખાનારા વચ્ચે છે.અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરોએક તરફ એવા લોકો છે જે પોતાની સત્તા બચાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. બીજી તરફ આપણે છીએ જે સંવિધાન માટે લડી રહ્યા છીએ. પીએમ મોદીએ મહાગઠબંધનને લઈને વિપક્ષી પાર્ટીઓ પર નિશાનો સાધ્યો છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસના વિરોધમાં ઊભી થયેલી પાર્ટી અને એક-બીજાનો વિરોધ કરતી પાર્ટી આજે એક વ્યક્તિને હરાવવા માટે સાથે આવી રહી છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે કોંગ્રેસની માનસિકતા વિકાસના દરેક કામમાં અટચણો પહોંચાડવાની છે. તેમણે કહ્યું કે, ‘મેક ઈન ઈન્ડિયાની વાત થઈ, જીએસટી પર વાત થઈ, સ્વચ્છ ભારતની બાબતે પણ કોંગ્રેસે વિરોધ કર્યો. કોંગ્રેસ પોતાની બેઠકોમાં જીએસટીનું સમર્થન કરે છે પરંતુ મધ્યરાત્રિએ બોલાવવામાં આવેલા સંસદ સત્રનો બહિષ્કાર કરે છે.’પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે તે પોતાને દેશની દરેક સંસ્થા કરતા ઉપર સમજે છે. પીએમએ કહ્યું કે ‘તેમને કાયદો અને સંસ્થાની કોઈ પરવા નથી. તેમણે હંમેશા પોતાને દેશની સર્વોચ્ચ સંસ્થાઓથી ઉપર માન્યા છે. તેમની કોઈ પરવાહ કરી નથી જે પછી ચૂંટણી આયોગ, આરબીઆઈ હોય કે પછી તપાસ એજન્સીઓ. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ પોતાના વકીલોના માધ્યમથી ન્યાય પ્રક્રિયામાં મુશ્કેલી પહોંચાડવાની કોશિશ કરે છે. સીજેઆઈને હટાવવા માટે મહાભિયોગ લાવવાનો પ્રયત્ન ક્યો હતો. કોંગ્રેસ અયોધ્યા મામલે સમાધાન નથી ઈચ્છતી’