એપશહેર

2022ના પરિણામોએ 2024નું રિઝલ્ટ નક્કી કરી દીધું: પીએમ મોદી

પીએમ મોદીએ પોતાના ભાષણમાં રશિયા-યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ યુદ્ધની અસર આખી દુનિયા ઉપર જોવા મળી રહી છે. ભારત શાંતિ ઈચ્છે છે. આ યુદ્ધના કારણે આખી દુનિયામાં મોંઘવારી વધી છે. તેમણે કહ્યું કે, દરેક મુશ્કેલીઓ વચ્ચે આ વખતના બજેટ પર નજર કરીએ તો જોવા મળશે કે દેશ આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે.

Authored byનિલય ભાવસાર | I am Gujarat 10 Mar 2022, 9:34 pm
PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે આજે ઉત્સાહનો દિવસ છે, ઉત્સવનો દિવસ છે. આ ઉત્સવ ભારતની લોકશાહી માટે છે. આ ચૂંટણીમાં હિસ્સો લેનારા તમામ મતદાતાઓને હું શુભેચ્છા પાઠવું છું. તેઓના નિર્ણય માટે મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું. આ ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ પહોંચી ગયા છે. ઉત્તરપ્રદેશે ભારતને ઘણાં વડાપ્રધાન આપ્યા છે પણ 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર મુખ્યમંત્રી ફરીવખત ચૂંટાઈ આવે તે આ પહેલું ઉદાહરણ છે. ઉત્તરપ્રદેશમાં 37 વર્ષ પછી કોઈ સરકાર સતત બીજી વખત આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે 2019ના ચૂંટણી પરિણામ બાદ કેટલાંક પોલિટિકલ જ્ઞાનીઓએ કહ્યું હતું કે 2017ના પરિણામોએ 2019ના પરિણામ નક્કી કર્યા છે. હું માનું છું કે આ વખતે પણ તેઓ કહેશે કે 2022ના પરિણામોએ 2024ના પરિણામ નક્કી કર્યા છે.
I am Gujarat PM Modi
આજે ભાજપની જીતનો ચોગ્ગો વાગ્યો છે, BJP પર લોકોને અતૂટ વિશ્વાસ: PM મોદી


પીએમ મોદીએ પોતાના ભાષણમાં રશિયા-યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ યુદ્ધની અસર આખી દુનિયા ઉપર જોવા મળી રહી છે. ભારત શાંતિ ઈચ્છે છે. આ યુદ્ધના કારણે આખી દુનિયામાં મોંઘવારી વધી છે. તેમણે કહ્યું કે, દરેક મુશ્કેલીઓ વચ્ચે આ વખતના બજેટ પર નજર કરીએ તો જોવા મળશે કે દેશ આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે. હું માનુ છું કે આવા માહોલમાં ભારતની જનતાએ અને તેમાં પણ ખાસ કરીને ઉત્તરપ્રદેશે અમારી પર વિશ્વાસ મૂક્યો છે. તેમણે કહ્યું કે, ફર્સ્ટ વોટર્સે પણ ખૂબ સારીરીતે મતદાન કરીને બીજેપીની જીત નિશ્ચિત બનાવી છે. પીએમએ કહ્યું કે, બીજેપીના કાર્યકર્તાઓએ મને વાયદો કર્યો હતો કે હોળી 10 માર્ચથી શરૂ થઈ જશે અને દરેક કાર્યકર્તાઓએ તેમનો વાયદો નિભાવ્યો છે. આ ઉત્સવ લોકશાહી માટે છે. દેશમાં ગરીબોના નામે ઘણી યોજનાઓ બની છે. પરંતુ જેમનો હક હતો તેમના સુધી તે પહોંચી નહોતી. પરંતુ બીજેપીએ સુનિશ્ચિત કર્યું કે દરેક ગરીબને તેમનો હક મળે. બીજેપી ગરીબોને વિશ્વાસ અપાવે છે કે દરેક ગરીબ સુધી તેમનો હક પહોંચે. પીએમએ કહ્યું કે હું ગરીબને તેમનો હક તેમના દરવાજા સુધી પહોંચાડ્યા વગર નિરાંતનો શ્વાસ નહીં લઉ.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો