એપશહેર

Corona Vaccination: PM મોદી 16 જાન્યુઆરીએ કોરોના રસીકરણ અભિયાન લોન્ચ કરશે

પીએમ મોદી ખુદ કોરોના વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં રસીકરણ અભિયાનની શરૂઆત કરશે. આ સાથે તેઓ રસીકરણ માટે કો-વિન એપ્લિકેશન પણ લોન્ચ કરશે.

I am Gujarat 13 Jan 2021, 2:50 pm
નવી દિલ્હી: ભારત કોરોના સામેની લડાઇ જીતવા માટે તૈયાર છે. કોરોના રસીની ખેપ દેશના વિવિધ કેન્દ્રો પર પહોંચી ચૂકી છે. મીડિયા અહેવાલો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે 16 જાન્યુઆરીએ દેશભરમાં કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાન શરૂ કરશે. આ સિવાય પીએમ મોદી રસીકરણ માટે જરૂરી કો-વિન એપ પણ લોંચ કરશે.
I am Gujarat 10
પીએમ મોદી ફાઈલ તસવીર


વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન
તમને જણાવી દઈએ કે કોરોના સામે રસીકરણનો કાર્યક્રમ 16 જાન્યુઆરી એટલે કે શનિવારથી આખા દેશમાં શરૂ થશે. તે કોરોના સામે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન છે. મળતી માહિતી મુજબ, પીએમ મોદી વર્ચ્યુઅલી કોરોના રસીકરણ અભિયાનના કાર્યક્રમમાં સામેલ થશે અને કોરોના રસી દેશને સમર્પિત કરશે.

દેશમાં બે કોરોના રસીના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે
ભારતમાં ઉપયોગ માટે બે કોરોના રસીઓને મંજૂરી આપવામાં આવી છે, જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પુણેની 'કોવિશિલ્ડ' અને ભારત બાયોટેકની 'કોવેક્સિન' શામેલ છે. આ સિવાય દેશમાં વધુ 4 રસી છે. 'કોવિશિલ્ડ' ની પહેલી બેપ મંગળવારે જ દેશના વિવિધ ભાગોમાં પહોંચી છે. તે જ સમયે, ભારત બાયોટેકની 'કોવેક્સિન' ની પહેલી ખેપ આજે દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવી છે.

સૌથી પહેલા હેલ્થ વર્કર્સને અપાશે રસી
કોરોના વેક્સીન લોકોને પ્રાથમિકતાના આધારે આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં આશરે 3 કરોડ લોકોને રસી આપવામાં આવશે, જેમાં સૌથી પહેલા હેલ્થ વર્કર્સને કોરોના રસી મળશે. હેલ્થ વર્કર્સને કોવિશિલ્ડનો ડોઝ આપવામાં આવશે. ત્યારબાદ ફ્રન્ટલાઈન કામદારો અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકો, અને ગંભીર બીમારીવાળા લોકોને રસીનો ડોઝ આપવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો