એપશહેર

PM મોદીની લોકોને અપીલ, 'દેશ માટે સકારાત્મક યોગદાન આપવાનો સંકલ્પ લો'

Yogesh Gajjar | I am Gujarat 30 Sep 2017, 7:28 pm
દશેરાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ લાલ કિલ્લા પાસે સ્થિત સુભાષ પાર્કમાં ચાલી રહેલી રામલીલામાં પહોંચ્યા. આ અવસરે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ ઉપસ્થિત રહ્યા. અહીંયા રાવણ વધ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે લોકોને સંબોધિત કર્યા. પીએમએ લોકોને દેશ માટે સકારાત્મક યોગદાન આપવાનો સંકલ્પ લેવાની અપીલ કરી. પીએમ અને રાષ્ટ્રપતિના સંબોધન બાદ રાવણના પૂતળાનું દહન થયું. પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનની શરૂઆત જય શ્રી રામના નારા સાથે કરી અને લોકોને વિજયાદશમીની શુભકામનાઓ આપી. તેમણે કહ્યું કે ઉત્સવ સામાજિક શિક્ષાનું માધ્યમ હોય છે. પીએમએ કહ્યું કે દરેક ઉત્સવનો ઉદ્દેશ્ય સમાજને સામૂહિકતા કરફ લઈ જવાનો છે. તેમણે કહ્યું, આપણા ઉત્સવ ખેતર, નદી, પર્વત, ઈતિહાસ અને પરંપરાઓ સાથે જોડાયેલા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રામ અને કૃષ્ણની ગાથાઓ સામાજિક જીવનને પ્રેરણા આપે છે. લોક સંગ્રહની શક્તિ સાથે શ્રીરામે વિજય પ્રાપ્ત કર્યો. તેમણે કહ્યું કે, 2022માં દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થશે. પીએમએ કહ્યું તે આવા ઉત્સવનો હેતૂ માત્ર મનોરંજન ન બનવું જોઈએ પરંતુ કંઈક કરવાનું સંકલ્પ લેવો જોઈએ. તેમણે લોકોને અપીલ કરી કે એક નાગરિકના નાતે બધા દેશ માટે સકારાત્મક યોગદાન આપવાનો સંકલ્પ લે. આ અવસર પર રાષ્ટ્રપતિ કોવિંદે પોતાના સંબોધનમાં કહ્યું કે પ્રભુ રામના જીવન આદર્શ આખી માનવતા માટે આજે પણ પ્રાસંગિક છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો