એપશહેર

શાયર મુનવ્વર રાણાના પુત્ર તબરેઝ રાણાની થઇ ધરપકડ, પોતાના પર જ કરાવ્યું હતું ફાયરિંગ

શાયર મુનવ્વર રાણાના પુત્ર તરબેઝે પોતાના પર જીવલેણ હુમલોક કરાવી એના કાકા અને પિતરાઇ ભાઇ સહિત સંબંધીઓ વિરુદ્ધ પોલીસ કેસ કર્યો હતો

I am Gujarat 25 Aug 2021, 9:33 pm

હાઈલાઈટ્સ:

  • પોલીસે તપાસમાં ખુલાસો કર્યો હતો કે તરબેઝે જાતે જ પોતાની પર હુમલો કરાવ્યો હતો
  • કાવતરાંનો ખુલાસો થતાં તરબેઝ રાણા ફરાર હતો, રાયબરેલી પોલીસે કેટલાક દિવસોથી એની શોધ કરી રહી હતી
  • 20 ઓગસ્ટે મુનવ્વર રાણાએ અફઘાન મુદ્દે ઋષિ વાલ્મિકી અને તાલિબાનની સરખામણી કરતાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 6
લખનઉઃ દેશના જાણીતાં શાયર મુનવ્વર રાણા હાલના દિવસો દરમિયાન પોતાની શાયરીને લીધે નહીં પરંતુ વિવાદાસ્પદ નિવેદો અને કેસને લીધે ચર્ચાનો વિષય બની ગયા છે. વિતેલા દિવસોમાં વિવાદાસ્પદ નિવેદનને લીધે મુનવ્વર રાણા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને આજે, બુધવારે એમના પુત્ર તબરેઝ રાણાની રાયબરેલી પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે તરબેઝને લખનઉ સ્થિત રહેઠાણથી ઉઠાવ્યો હતો.
તરબેઝ પર પોતાના પર જ ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરવાનો આરોપ છે. જેના લીધે રાયબરેલી પોલીસે સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ નોંધાયા પછી પોલસ તરબેઝ રાણાને અલગ-અલગ ઠેકાણે શોધી રહી હતી.
શાયર મુનવ્વર રાણાએ ઋષિ વાલ્મિકી સાથે કરી તાલિબાનની સરખામણી બાડમેરમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો બચાવ 'ફ્રીડમ 251' મોબાઈલ કાંડવાળા મોહિત ગોયલની હવે 41 લાખના ફ્રોડમાં કરાઈ ધરપકડ
શાયર મુનવ્વર રાણાના પુત્ર તરબેઝ રાણા પર લખનઉ-પ્રયાગરાજ હાઇવે પર સ્થિત એક પેટ્રોલ પંપ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેની ફરિયાદ કરતાં તરબેઝ રાણાએ એના કાકા ઇસ્માઇલ રાણા, રાફે રાણા, શકીલ રાણા, જમીલ રાણા અને પિતરાઇ ભાઇ યાસર રાણા વિરુદ્ધ પોલીસ કેસ કર્યો હતો. પોલીસે તપાસમાં આખો કેસ જુઠ્ઠો હોવાનો ખુલાસો કર્યો હતો. પોલીસે ઘટનાનો ખુલાસો કરતાં દાવો કર્યો હતો કે તરબેઝે પોતાની ઉપર જીવલેણ હુમલો કરાવ્યો હતો. આ કાવતરાંમાં એનો સાથ આપનારા ચાર લોકોને પણ પોલીસ જેલભેગા કરી ચૂકી છે. એ સમયથી તરબેજ ફરાર થઇ ગયો હતો.

20 ઓગસ્ટે મુનવ્વર રાણાએ અફઘાનિસ્તાન મુદ્દે ઋષિ વાલ્મિકી અને તાલિબાનની સરખામણી કરતાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જે પછી એમની વિરુદ્ધ હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Read Next Story