એપશહેર

કોરોનાની રસી લેવા પહોંચ્યા 'યમરાજ', બોલ્યા- મને પણ વાયરસની બીક લાગે છે

I am Gujarat 11 Feb 2021, 12:32 pm
દેશમાં કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણ અભિયાન ચાલુ છે. 66 લાખથી વધારે લાભાર્થિઓને કોરોનાની વેક્સીન અત્યાર સુધી મળી ચૂકી છે. રસીકરણ અભિયાનને લઈને લોકો વચ્ચે જાગૃતતા ફેલાવવા માટે સમાજમાં તમામ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. વેક્સીનેશન અભિયાનના બીજા ચરણ દરમિયાન બુધવારે ઈન્દોરમાં એક રસપ્રદ ઘટના જોવા મળી, જેમાં ખુદ 'યમરાજ' પણ વેક્સીન લેવા સ્વાસ્થ્ય કેન્દ્ર પર પહોંચી ગયા અને આ જોઈને ત્યાં ઉપસ્થિત લોકો પણ હેરાન રહી ગયા.
I am Gujarat vaccine


ઈન્દોર પોલીસનું જાગૃતતા અભિયાન
આ દરમિયાન યમરાજે પોતાનો વારો આવે તેની રાહ જોઈ પછી સ્વાસ્થ્યકર્મીઓ પાસેથી રસી લીધી. હકીકતમાં ઈન્દોરમાં પોલીસ કોવિડ-19 રસીકરણ માટે જાગૃતતા અભિયાન ચલાવી રહી છે અને પોતાના આ અભિયાન અંતર્ગત તેણે ઈન્દોર પોલીસના કોન્સ્ટેબલ જવાહ સિંહ જૌદાનને યમરાજના ગેટઅપમાં તૈયાર થઈને વેક્સીનેશન સેન્ટર પર પહોંચ્યો પછી વેક્સીન લીધી. આ દ્વારા પોલીસ મેસેજ આપવાનો પ્રયાસ કરાયો છે કે સૌ કોઈએ વેક્સીન લેવી જોઈએ તેમાં ગભરાવવાની કોઈ વાત નથી.

રસી લીધા બાદ શું કહ્યું?
રસી લીધા બાદ યમરાજે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, વેક્સીન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, તેનાથી ડરવાની કોઈ જરૂર નથી પરંતુ કોરોના વાયરસથી ડરવાની જરૂર છે. જો કોરોનાથી બચાવ કરવો છે તો પછી વેક્સીન લગાવવી જરૂરી છે. આપણે લોકો કોરોનાથી ડરીએ અને સુરક્ષા નિયમોનું પાલન કરીએ. કોરોના વાયરસથી મને પણ ડર લાગે છે.

વેક્સીન અભિયાન જોર પકડી રહ્યું છેતમને જણાવી દઈએ કે દેશમાં રોજ રસી લેનારા લાભાર્થીઓની સંખ્યા વધી રહી છે. રસીકરણ અભિયાન ઝડપથી વધી રહ્યું છે. રસીકરણના 25 દિવસોમાં 3.53 લાખ લાભાર્થીઓને રસી લાગશે. 9 ફેબ્રુઆરી સુધી કુલ 66.11 લાખ લોકોને વેક્સીન લાગી ચૂકી છે જેમાં 56 લાખથી વધુ સ્વાસ્થ્ય કર્મચારીઓ સામેલ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો