એપશહેર

લોકપ્રિયતા ઘટી, છતાં હાલ ચૂંટણી યોજાય તો ફરીવાર બનશે મોદી સરકાર

Yogesh Gajjar | I am Gujarat 25 Jan 2018, 9:11 pm
I am Gujarat popularity of modi government decrease still nda can win in election
લોકપ્રિયતા ઘટી, છતાં હાલ ચૂંટણી યોજાય તો ફરીવાર બનશે મોદી સરકાર


મોદી સરકારની લોકપ્રિયતામાં ઘટાડો

દેશમાં હાલના પોલિટિકલ સ્થિતિને જોવા માટે કરવામાં આવેલા એક સર્વે મુજબ જો ફરીથી લોકસભા ચૂંટણી થાય તો એકવાર ફરી મોદી સરકાર સત્તામાં આવી શકે છે. એબીપી ન્યૂઝ-સીએસડીએસ- લોકનીતિ દ્વારા આ મહિને સમગ્ર દેશમાં કરાયેલા સર્વે મુજબ જો આજે ચૂંટણી થાય તો એનડીએને 301 સીટો સાથે સ્પષ્ટ બહુમક મળી શકે છે. કોંગ્રેસની આગેવાનીવાળી યૂપીએને 127 સીટો મળી શકે છે.

પૂર્વ ભારતઃ કુલ સીટ-142

સર્વે મુજબ પૂર્વીય ભારતમાં બીજેપીની આગેવાનીવાળા એનડીએને 72 સીટો, કોંગ્રેસની આગેવાનીમાં યૂપીએને 18 સીટો અને અન્યને 52 સીટો મળી શકે છે. જો વાત વોટ પર્સેન્ટેઝની વાત કરીએ તો સર્વે મુજબ પૂર્વી ભારકમાં એન્ડીએને 43 ટકા વોટ, યૂપીએને 21 ટકા વોટ અને અન્યને 36 ટકા વોટ મળી શકે છે.

દક્ષિણ ભારતઃ કુલ સીટ-132

સર્વે મુજબ દક્ષિણ ભારતમાં યૂપીએનો દબદબો રહેશે અને તેને એનડીએના મુકાબલે બમણી સીટો મળી શકે છે. સર્વે મુજબ દક્ષિણ ભારતની કુલ 132 સીટોમાંથી એનડીએને 34 સીટો તો યૂપીએને 63 સીટો મળી શકે છે. અન્યના ખાતામાં 35 સીટો આવી શકે છે. એનડીએને 25 ટકા વોટ મળી શકે તો યૂપીએને 39 ટકા વોટ મળી શકે છે. 36 ટકા વોટ અન્યના ખાતામાં જઈ શકે છે.

ઉત્તર ભારત (યુપી, દિલ્હી, હરિયાણા અને પંજાબ): કુલ સીટ-151

સર્વે મુજબ ઉત્તર ભારતમાં બીજેપીને લીડ મળી શકે છે. પરંતુ 2014ના મુકાબલે 20 સીટોનું નુકસાન થઈ શકે છે. એબીપી ન્યૂઝ-સીએસડીએસના સર્વે મુજબ ઉત્તર ભારતની 151 સીટોમાં એનડીએને 111 સીટો મળી શકે છે તો યૂપીએને 13 સીટો મળી શકે છે. જ્યારે 27 સીટો અન્યના ખાતમાં જઈ શકે છે. વાત કરીએ વોટ પર્સન્ટેજની તો ઉત્તર ભારતમાં 45 ટકા વોટ એનડીએને, 22 ટકા વોટ કોંગ્રેસને અને 33 ટકા વોટ અન્યને મળી શકે છે.

પશ્ચિમ-મધ્ય ભારત(ગુજરાત, એમપી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા): કુલ સીટો-118

સર્વે મુજબ પશ્ચિમ-મઘ્ય ભારતમાં એનડીએને 83 સીટો મળી શકે છે તો યૂપીએને 33 સીટો મળી શકે છે. અન્યના ખાતામાં 1 સીટ જઈ શકે છે. 2014ના મુકાબલે પશ્ચિમ-મધ્ય ભારતમાં એનડીએને 25 સીટોનું નુકસાન થઈ શકે છે. વાત વોટશેરની કરીએ તો પશ્ચિમ-મધ્ય ભારતમાં એનડીએને 48 ટકા વોટ, યૂપીએને 40 ટકા વોટ અને અન્યને 12 ટકા વોટ મળી શકે છે.

મોદી સરકારનું કામકાજ કેવું ?

સર્વેમાં ભાગ લેનારા અડધાથી વધારે લોકો મોદી સરકારના કામકાજથી સંતુષ્ટ દેખાયા. 51 ટકા લોકો સંતુષ્ટ દેખાયા કો 40 ટકા લોકો મોદી સરકારના કામકાજથી અસંતુષ્ટ દેખાયા. મે 2017માં થયેલા એબીપી ન્યૂઝ-સીએસડીએસના સર્વેમાં 64 ટકા લોકો મોદી સરકારથી સંતુષ્ટ હતા અને માત્ર 27 ટકા લોકો અસંતુષ્ટ હતા. એટલે કે સર્વે મુજબ પહેલાની તુલનામાં હાલમાં મોદી સરકારની લોકપ્રિયતા ઘટી છે.

કેવી રીતે થયો સર્વે

એબીપી ન્યૂઝએ CSDS-લોકનીતિથી આ સર્વેને કર્યો છે. સર્વેને 7 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી વચ્ચે કરવામાં આવ્યો છે. 19 રાજ્યોમાં 175 લોકસભા સીટો પર 14,336 વોટરો પાસેથી તેમનું મંતવ્ય લેવામાં આવ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો