એપશહેર

કોરોના વાયરસ પર ખુશખબરી, ભારતમાં 70% પર પહોંચ્યો દર્દીઓનો રિકવરી રેટ

આખી દુનિયામાં કોરોના વાયરસના કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. આવામાં ભારતમાં કોરોના વાયરસને 22 લાખ કરતા વધુ કેસમાંથી 15 લાખ લોકોએ વાયરસને હરાવી દીધો છે. અત્યાર સુધીમાં 15,35,743 લોકો વાયરસને હરાવી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 54,859 દર્દીઓ સાજા થયા છે, જે એક રેકોર્ડ સમાન છે. હાલ ભારતમાં 6,34,945 એક્ટિવ કેસ છે.

TNN 10 Aug 2020, 3:38 pm
કોરોના વાયરસના વધતા આંકડાની સાથે સરકારે ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી દીધી છે આવામાં માનવામાં આવી રહ્યું છે કે દેશમાં કેસની સંખ્યા વધવાનું કારણ ટેસ્ટિંગની સંખ્યામાં વધારો છે. દેશમાં કોરોના વોરિયર્સની મહેનતનું પરિણામ મળી રહ્યું છે. આ સાથે સતત દેશમાં સારી એમ્બ્યુલન્સ સેવાઓ, દર્દીઓની સંભાળ વગેરે પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે જેના કારણે દેશ સારી રીતે કોરોનાને હરાવવામાં સફળ થઈ રહ્યો છે.
I am Gujarat positive news covid 19 patients recovery rate increasing day by day in india
કોરોના વાયરસ પર ખુશખબરી, ભારતમાં 70% પર પહોંચ્યો દર્દીઓનો રિકવરી રેટ


આ સાથે દેશમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓનો રિકવરી રેટ 70% પર પહોંચી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ કોરોના કેસમાંથી 69.33% દર્દી સાજા થઈ ગયા છે. દિલ્હીમાં રિકવરી રીટે 90% પર પહોંચ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વાયરસથી પીડાતા 100માંથી 90 દર્દીઓ સાજા થઈ ગયા છે.

મૃત્યુદરમાં થઈ રહ્યો છે ઘટાડો

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોના સંયુક્ત પ્રયાસોથી દેશમાં કોરોનાના દર્દીઓના મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે. આંકડા જણાવે છે કે 2% કોરોના દર્દીઓના મોત થાય છે. સારી ખબર એ છે કે ધીરે-ધીરે તેમાં ઘટાડો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં 44,386 દર્દીઓના મોત થઈ ગયા છે. રવિવારે પહેલીવાર મોતનો આંકડો 1000ને પાર ગયો અને 1007 દર્દીઓના મોત થઈ ગયા.

10 રાજ્યોમાં 80% કેસ

એક બીજી ખુશખબરી એ છે કે કોરોના વાયરસથી પીડાતા મોટાભાગના દર્દીઓ માત્ર 10 રાજ્યો સુધી સીમિત છે. આ 10 રાજ્યોમાં કુલ કેસના 80% કેસ છે. જ્યારે દેશના અન્ય ભાગોમાં આ મહામારીની અસર છૂટી છવાઈ જોવા મળી રહી છે.

સતત ઘટી રહ્યા છે એક્ટિવ કેસ

રિકવરી રેટની ગતિના કારણે એક્ટિવ કેસની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં આવેલા કોરોના કેસમાંથી 28.66% દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો છે. સરકાર મુજબ 6,34,945 કોરોના દર્દીઓનો દેશમાં ઈલાજ ચાલી રહ્યો છે.

ટેસ્ટિંગની સંખ્યા વધારાઈ

દેશમાં 9 ઓગસ્ટના રોજ 2,45,83,558 સેમ્પલની તપાસ થઈ ચૂકી છે. 9 ઓગસ્ટના રોજ 4,77,023 સેમ્પલની તપાસ કરાઈ. તપાસ માટે લેબ્સની સંખ્યામાં પણ વધારો કરાઈ રહ્યો છે. 9 ઓગસ્ટ સુધીમાં દેશમાં 1,406 લેબમાં કોરોના સેમ્પલની તપાસ થઈ રહી છે. દેશમાં 23 જાન્યુઆરીએ માત્ર 1 લેબમાં તપાસ થતી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો