એપશહેર

દેશભરમાં ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શન વચ્ચે કૃષિ બિલોને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

ખેડૂતો અને રાજકીય પક્ષોના સતત વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચોમાસુ સત્રમાં સંસદમાં પસાર થયેલા ખેડૂતો અને ખેતી સંલગ્ન બિલોને મંજૂરી આપી દીધી છે.

I am Gujarat 27 Sep 2020, 7:52 pm
નવી દિલ્હી: કૃષિ બિલોને લઈને પંજાબ, હરિયાણા અને દેશના અલગ-અલગ વિસ્તારોમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો, પંજાબમાં ખેડૂતો ધરણાં કરી રહ્યા છે. આ દરમિયાન સંસદમાં પાસ થેલા ત્રણ કૃષિ બિલો પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હસ્તાક્ષર કરી દીધા છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કૃષિ બિલ કાયદો બની ગયો છે. જાણકારી મુજબ, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ તેનું નોટિફિકેશન બહાર પાડશે. તો, રાષ્ટ્રપતિએ જમ્મુ-કાશ્મીર સત્તાવાર ભાષા બિલ 2020ને પણ મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતો અને રાજકીય પક્ષો કૃષિ બિલને પાછું ખેંચવાની માગ કરી રહ્યા હતા, પરંતુ તેમની અપીલની કોઈ અસર થઈ નથી.
I am Gujarat Farmer protest
પંજાબ, હરિયાણા અને દેશના અલગ-અલગ વિસ્તારોમાં ખેડૂતો કૃષિ બિલોનો વિરોધ કરી રહ્યા છે. (ફાઈલ તસવીર)


ખેડૂતો અને રાજકીય પક્ષોના સતત વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિએ ચોમાસુ સત્રમાં સંસદની પાસે ખેડૂતો અને ખેતી સાથે સંલગ્ન બિલો પર પોતાની સંમતિ આપી દીધી છે.


સંસદના ચોમાસુ સત્રમાં લવાયેલા કૃષિ ઉપજ વેપાર તેમજ વાણિજ્ય (સંવર્ધન તેમજ સુવિધા) બિલ 2020, કૃષિ (સશક્તિકરણ તેમજ સંરક્ષણ) કિમત આશ્વાસન અને કૃષિ સેવા કરાર બિલ 2020 અને આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020ને પહેલા સંસદના બંને ગૃહોની મંજૂરી મળી ચૂકી છે. હવે તેના પર રાષ્ટ્રપતિની મહોર પણ લાગી ચૂકી છે. આ ત્રણ બિલ કોરોના કાળમાં પાંચ જૂને બહાર પડાયેલા વટહુકમનું સ્થાન લેશે.

આ દરમિયાન અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે બધા રાજકીય પક્ષો અને સંગઠનોને અનુરોધ કર્યો છે કે, ખેડૂતો અને ખેત મજૂરોના હિતમાં પ્રદર્શન કરે. તેમણે કહ્યું કે, 'હું બધા રાજકીય પક્ષો અને સંગઠનોને આહવાહન કરું છું કે તે દેશના ખેડૂતો, કૃષિ મજૂરો અને કૃષિ ઉપજના વેપારીઓના હિતોનું રક્ષણ કરે. અકાલી દળ પોતાના આદર્શો નહીં છોડે.'


રાષ્ટ્રપતિને મળ્યા હતા ગુલામ નબી આઝાદ
આ દરમિયાન બધુવારે કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. વિપક્ષના પ્રતિનિધિમંડળ તરફથી ગુલામ નબી આઝાદ રાષ્ટ્રપતિને મળ્યા હતા. આઝાદે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ જણાવ્યું હતું કે, તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી છે અને કહ્યું છે કે, બધા રાજકીય પક્ષો સાથે વાત કરી આ બિલ લાવવું જોઈતું હતું.

અકાલી દળના નેતાઓએ પણ કરી હતી મુલાકાતકૃષિ બિલોને લઈને શિરોમણિ અકાલી દળના નેતાઓએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલના નેતૃત્વમાં દિલ્હી પહોંચેલા નેતાઓએ રાષ્ટ્રપતિને અનુરોધ કર્યો હતો કે, તેઓ રાજ્યસભામાં પાસ થયેલા કૃષિ બિલો પર હસ્તાક્ષર ન કરે. હરસિમરત કૌરે કહ્યું હતું કે, તેમની પાર્ટી ઉપરાંત અન્ય 18 વિરોધ પક્ષોએ કૃષિ બિલને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો સંપર્ક કર્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો