એપશહેર

નાગરિકતા સંશોધન બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, બની ગયો કાયદો

Mitesh Purohit | I am Gujarat 13 Dec 2019, 8:25 am
નાગરિકતા સંશોધન બિલ 2019 બુધવારે રાજ્યસભામાં 125 વિરુદ્ધ 105 વોટથી પસાર થઈ ગયું હતું. આ બિલ લોકસભામાં પહેલા જ બહુમત સાથે થઈ ગયું હતું. જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂવાર મોડી રાત્રે મંજૂરીની મહોર લગાવી દીધી છે. આ સાથે હવે આ બિલ હવે કાયદો બની ગયું છે. આ બિલ કાયદો બનતા હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળશે. ઉલ્લેખનીય છે કે લોકસભા અને રાજ્યસભામાં આ વિધેયકને ભારે હંગામા બાદ પસાર કરવામાં આવ્યું હતું.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: રાષ્ટ્રપતિ કોવિંદે આ બિલને મંજૂરી આપી દીધા બાદ નાગરિકતા કાનૂન, 1955માં સંબંધિત સંશોધન થઈ ગયું છે. તેનાથી 3 પાડોશી ઈસ્લામી દેશ- પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક ભેદભાવનો શિકાર થઈ ભારતમાં શરણ લેનાર શરણાર્થીઓને સરળતાથી નાગરિકતા મળી શકશે.
ભારતની નાગરિકતા મેળવવા માટેની સમયસીમા 31 ડિસેમ્બર 2014 હશે. એટલે કે, આ તારીખ પહેલાં કે આ તારીખ સુધી ભારતમાં પ્રવેશ કરનાર નાગરિકતા માટે આવેદન કરવા માટે યોગ્ય ગણાશે. આ કાનૂન અનુસાર હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોનાં જે સભ્યો 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવ્યા છે, તેઓને ગેરકાનૂની પ્રવાસી નહીં માનવામાં આવે. અને તેઓને ભારતની નાગરિકતા આપવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો