એપશહેર

PM મોદી અને મંત્રીમંડળે આપ્યું રાજીનામું, શાહ બનશે નવા સંરક્ષણ મંત્રી?

વિપુલ પટેલ | I am Gujarat 24 May 2019, 8:16 pm
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યાના બીજી દિવસે શુક્રવારે કેન્દ્રીય કેબિનેટએ 16મી લોકસભા ભંગ કરવાની ભલામણ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે સાંજે મળેલી કેબિનેટ બેઠકમાં આ બાબતનો પ્રસ્તાવ પાસ કરાયો. આ ચૂંટણીમાં ભાજપની આગેવાનીવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ને જબરજસ્ત જીત મળઈ છે. સૂત્રોએ જણાવ્યું કે, આ અંગે કેબિનેટની ભલામણ મળ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વર્તમાન લોકસભા ભંગ કરવાની કાર્યવાહી કરશે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો ઉલ્લેખનીય છે કે, 16મી લોકસભાનો કાર્યકાળ 3 જૂને પૂરો થઈ રહ્યો છે. 17મી લોકસભાની રચના 3 જૂન પહેલા કરવાની થાય છે અને નવી સંસદની રચનાની પ્રક્રિયા આગામી થોડા દિવસોમાં ત્યારે શરૂ થશે, જ્યારે ત્રણે ચૂંટણી કમિશનરો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે અને નવા ચૂંટાયેલા સભ્યોની યાદી સોંપશે. ઉલ્લેખનીય છે કે, દેશની જનતાએ ભાજપને ઐતિહાસિક જનાદેશ આપ્યો છે અને પાર્ટીએ 300થી વધુ બેઠકો જીતી છે. હવે ચર્ચા એ વાતને લઈને થઈ રહી છે કે, 17મી લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી કેબિનેટમાં કોને કયો પોર્ટફોલિયો મળશે? કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજ, નિતિન ગડકરી, નિર્મલા સીતારમણ, મેનકા ગાંધી, પીયૂષ ગોયલ, પ્રકાશ જાવડેકર વગેરે સામેલ થયા. તબીયત સારી ન હોવાથી અરુણ જેટલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ન પહોંચ્યા. સૂત્રો મુજબ, મોદી સરકારના બીજા કાર્યકાળમાં નાણા મંત્રી અરૂણ જેટલી ફરીથી નાણા મંત્રાલયનો કાર્યભાર નહીં સંભાળે. તેનું કારણ તેમની તબીયત સારી ન હોવાનું જણાવાઈ રહ્યું છે. જો જેટલી પદ સ્વીકાર નહીં કરે તો કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલને નાણા મંત્રાલય કે બંને મંત્રાલયની જવાબદારી આપવામાં આવી શકે છે. અટકળો એવી પણ છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહને સંરક્ષણ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી શકે છે. હકીકતમાં, સંરક્ષણ મંત્રીનું પદ ભાજપ સરકાર માટે મહત્વપૂર્ણ છે, કેમકે આ ચૂંટણીમાં ભારતીય સેના ને પાકિસ્તાનમાં ઘૂસીને કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકની ઘણી ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, અર્બન અફેર્સ મિનિસ્ટર હરદીપ સિંહ પુરી અમૃતસરથી, પ્રવાસન મંત્રી કે જે અલ્ફોન્સ એરનાકુલમ અને ટેલિકોમ મિનિસ્ટર મનોજ સિંહા ગાઝીપુરથી ચૂંટણી હારી ગયા છે. આ પેહાલ અરુણ જેટલી એક સમયે નાણા અને કોર્પોરેટ અફેર્સ મંત્રીની જવાબદારીની સાથે સંરક્ષણ મંત્રીની પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. તે પછી તેમણે નાણા મંત્રાલય પર ફોકસ કરવા માટે સંરક્ષણ મંત્રાલયનો કાર્યભાર નિર્મલા સીતારમણને આપી દીધો હતો. જોકે, કયા સાંસદને કયું મંત્રાલય અપાશે, તેના પર અંતિમ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેવાનો છે. શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કેબિનેટમાં ઘણા યુવા ચહેરાને સ્થાન મળી શકે છે. આ દરમિયાન એનડીએના સહયોગી પક્ષોને પણ મહત્વના પદ આપવામાં આવી શકે છે. (એજન્સી અને ટાઈમ્સ નાઉના ઈનપુટ સાથે)
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો