એપશહેર

વડાપ્રધાન મોદીએ અજમેર શરીફ માટે મોકલાવી ચાદર

Gaurang Joshi | TNN 21 Feb 2020, 11:13 pm
નવી દિલ્હી/અજમેરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના 808માં ઉર્ષ પર દરગાહમાં ચાદરભેટ માટે શુક્રવારે યુનિયન મિનિસ્ટર ઓફ માઈનોરિટી અફેર્સ મુખ્તાર અબ્બાસ નકવીના નેતૃત્વમાં એક ડેલિગેશનને ચાદર સોંપી હતી. વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે,’વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહમાં ચાદરભેટ માટે ચાદર સોંપી હતી.’હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો25 ફેબ્રુઆરીએ હાજરી આપશે PMમુખ્તાર અબ્બાસ નકવીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે,’વડાપ્રધાનજીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના 808માં ઉર્ષ પર દરગાહમાં ચાદરભેટ માટે અમને ચાદર સોંપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી છઠ્ઠીવાર અજમેરમાં ખ્વાજા સાહેબની દરગાહ પર ચાદરભેટ કરવામાં આવી છે. વડાપ્રધાન 25 ફેબ્રુઆરીના રોજ ચાદરભેટ માટે જશે.’
ડેલિગેશનની પણ કરી હતી મુલાકાતદેશમાં ખુશાલીની કરી કામનાનકવીએ જણાવ્યું કે વડાપ્રધાને આ તકે એક ડેલિગેશનની મુલાકાત કરી અને અડધા કલાકની આ મુલાકાત ખુશનુમા વાતાવરણમાં થઈ હતી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાને દેશની ખુશાલી માટે કામના કરતા એક સંદેશ પણ આપ્યો હતો. આ દરગાહ ખ્વાજા સાહેબ અજમેરના સજ્જાદ નશીન સૈય્યદ નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે વડાપ્રધાને ખ્વાજા સાહેબની દરગાહ પર ચાદરભેટ કરી છે અને તેની સાથે એક સંદેશો પણ આપ્યો છે.
હાજર રહ્યાં અનેક પ્રોફેસરશિષ્ટમંડલમાં અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર તારિક મન્સૂર, દરગાહ ખ્વાજા સાહેબ અજમેરના સજ્જાદા નશીન સૈય્યદ નસીરુદ્દીન ચિશ્તી, અંજુમન સૈયદજાદગાનના સદર સૈયદ મોઈન હુસૈન ઉપરાંત શેખજાદા અબ્દુલ જાર ચિશ્તી, ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચર સેન્ટરના સિરાજુદ્દીન કુરૈશી, ઈસ્લામિક વિશ્વ પરિષદના મૌલાના જલાલ હૈદર, જેએનયુના પ્રોક્ટર પ્રોફેસર કુતુબુદ્દીન, સર્વધર્મ એકતા પરિષદના મુફ્તી સમુન કાશમી, લેફ્ટનન્ટ જનરલ સેવાનિવૃત અતા હસનૈન વગેરેનો સમાવેશ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો