એપશહેર

વડાપ્રધાન મોદી બીજા રાઉન્ડમાં કોરોનાની વેક્સિન લે તેવી શક્યતા

દેશમાં શરૂ થયેલા કોરોના રસીકરણ અભિયાનમાં પ્રથમ રાઉન્ડમાં સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી રહી છે

I am Gujarat 21 Jan 2021, 6:23 pm
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણના બીજા રાઉન્ડમાં રસી લેશે. ભારતમાં ગત સપ્તાહે કોવિડ-19 વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થયો છે. જેના પ્રથમ રાઉન્ડાં સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને રસી આપવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે બીજા રાઉન્ડમાં વડાપ્રધાન મોદી રસી લેશે. આ ઉપરાંત 50 વર્ષથી વધુ વય ધરાવતા તમામ મુખ્યમંત્રીઓ, એમપી અને એમએલએ પણ કોરોનાની રસી લેશે.
I am Gujarat narendra modi5


દેશભરમાં 16 જાન્યુઆરીથી કોવિડ-19 રસીકરણ શરૂ થયું છે. હાલમાં પ્રથમ રાઉન્ડમાં તમામ સ્વાસ્થ્ય કર્મીઓ તથા કોરોના સામે લડી રહેલા અન્ય તમામ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા દેશમાં બે વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ વેક્સિન છે જેનું ઉત્પાદન સીમર ઈન્સ્ટિટ્યુટ કરી રહી છે. જ્યારે બીજી ભારત બાયોટેકની કોવેક્સિન છે.

રસીકરણના બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો તથા જે લોકોને પહેલાથી રોગો છે તેવા લોકોને વેક્સિન આપવામાં આવશે. રસીકરણ શરૂ થયું તે અગાઉ તમામ મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, તેઓ કોરોનાની વેક્સિન લેવા માટે કોઈ જાતની ઉતાવળ ન કરે કેમ કે તેમનો નંબર બીજા રાઉન્ડમાં આવશે.

નોંધનીય છે કે હરિયાણા, બિહાર અને તેલંગાણા જેવા રાજ્યોના મુખ્યમંત્રીઓએ સરકારને કહ્યું હતું કે, તમામ એમએલએ, એમપી અને જાહેર કાર્યમાં રહેલા પ્રતિનિધીયોને પણ ફ્રન્ટ લાઈન વર્કર્સ ગણવામાં આવે

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો