એપશહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રને રૂપિયા 75 હજાર કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરથી છત્તીસગઢના બિલાસપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી છે. PM મોદીએ નાગપુરના રૂપિયા 75 હજાર કરોડની યોજનાઓની પણ સોગાદ આપી છે. નાગપુર મેટ્રો ફેઝ-1ને પણ રાષ્ટ્રને સમર્પિત કરવા સાથે જ નાગપુર મેટ્રો ફેઝ-2નો શિલાન્યાસ પણ કર્યો. સમૃદ્ધ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યાં બાદ અત્યાધુનિક સુવિધાથી સજ્જ એઈમ્સ નાગપુરનું પણ ઉદઘાટન કર્યું

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 11 Dec 2022, 9:25 pm

હાઈલાઈટ્સ:

  • નાગપુર મેટ્રો ફેઝ-1ને પણ રાષ્ટ્રને સમર્પિત કરવા સાથે જ નાગપુર મેટ્રો ફેઝ-2નો શિલાન્યાસ પણ કર્યો.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ 2017માં એઈમ્સ,નાગપુરનો શિલાન્યાસ કર્યો હતો.
  • PM મોદીએ કહ્યું-ડબલ એન્જીનની સરકાર મહારાષ્ટ્રમાં કેટલા ઝડપથી કામ કરી રહી છે
હાઈલાઈટ ટેક્સ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રને રૂપિયા 75 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપ્યી છે. નાગપુરમાં રવિવારે PMએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી, આ ઉપરાંત નાગપુર મેટ્રો ફેઝ-1ને પણ રાષ્ટ્રને સમર્પિત કરવા સાથે જ નાગપુર મેટ્રો ફેઝ-2નો શિલાન્યાસ પણ કર્યો. સમૃદ્ધ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યાં બાદ અત્યાધુનિક સુવિધાથી સજ્જ એઈમ્સ નાગપુરનું પણ ઉદઘાટન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ 2017માં એઈમ્સ,નાગપુરનો શિલાન્યાસ કર્યો હતો. આજે તેમની સાથે ઉપસ્થિત રહેલા કેન્દ્રી માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે અમે ઓરંગાબાદથી પુણે સુધીના હાઈવેનું પણ નિર્માણ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં 6 એક્સપ્રેસ હાઈવે પણ તૈયાર થઈ રહ્યા છે.


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સમૃદ્ધિ મહામાર્ગ અંગે કહ્યું કે આ મહારાષ્ટ્રના 24 જિલ્લાને લાભ આપનાર સમૃદ્ધિ હાઈવે છે. મહારાષ્ટ્રમાં G-20 ની તૈયારી પણ જોરશોરથી ચાલી રહી છે. આપણે જાણી છીએ કે G20 કેટલું મહત્વ ધરાવે છે. G20ની અધ્યક્ષતા મળવી તે દેશવાસીઓ માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ તમામ યોજનાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે આ આયોજન એ બાબતનું પ્રમાણ છે કે ડબલ એન્જીનની સરકાર મહારાષ્ટ્રમાં કેટલા ઝડપથી કામ કરી રહી છે. સમૃદ્ધિ મહામાર્ગથી મુંબઈ અને નાગપુર વચ્ચેનું અંતર ઘટાડી દેશે. આ સાથે મહારાષ્ટ્રના 24 જિલ્લાને આધનિક કનેક્ટિવિટીથી જોડશે. આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવમાં 75 હજાર કરોડ રૂપિયાના આ વિકાસ કાર્યો માટે મહારાષ્ટ્ર તથા અહીની પ્રજાને અભિનંદન પાઠવું છું. સામાન્ય પ્રજાના હેલ્થકેર હોય કે પછી વેલ્થ ક્રિએશન. ખેડૂતોને સશક્ત કરવાના હોય કે પછી જળ સંરક્ષણ આજે પ્રથમ વખત દેશમાં એવી સરકાર છે કે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એક માનવીય સ્વરૂપ આપવામાં આવ્યું છે.

Read Next Story