એપશહેર

અમેરિકાથી પાછા ફર્યા વડાપ્રધાન મોદી. માત્ર 65 કલાકમાં 20 બેઠકોમાં ભાગ લીધો

ભાજપના કાર્યકર્તાઓએ અમેરિકાથી પાછા ફરેલા નરેન્દ્ર મોદીનું શાનદાર સ્વાગત કર્યું, વડાપ્રધાને અમેરિકામાં 20 બેઠકો કરી, પ્લેનમાં પણ 4 મીટિંગ કરી.

I am Gujarat 26 Sep 2021, 3:54 pm
નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની ચાર દિવસની યાત્રા સમાપ્ત કરીને રવિવારના રોજ સ્વદેશ પાછા ફર્યા છે. દિલ્હી એરપોર્ટ પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તેમનું શાનદાર સ્વાગત કર્યું. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા પણ ત્યાં હાજર રહ્યા હતા. જેપી નડ્ડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા પ્રવાસ દરમિયાન સતત અનેક બેઠકો કરી. સરકારી સૂત્રોએ રવિવારના રોજ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 65 કલાક અમેરિકામાં રહ્યા અને આ દરમિયાન તેઓ 20 બેઠકોમાં શામેલ થયા.
I am Gujarat modiji back


સૂત્રોએ જણાવ્યું કે, અમેરિકા જતી વખતે અને ત્યાંથી પાછા ફરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાનમાં અધિકારીઓ સાથે ચાર લાંબી બેઠકો કરી. આ જાણકારી આપતી વખતે સૂત્રોએ જણાવ્યું કે, બુધવારે અમેરિકા જતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાનમાં બે બેઠકો કરી અને ત્યાં પહોંચ્યા પછી હોટલમાં ત્રણ બેઠકો કરી.

ચાની કિટલી અંગે UNમાં વડાપ્રધાન મોદીએ કહી દીધી મોટી વાત
સૂત્રોના જણાવ્યા અનુસાર, 23 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ અલગ સીઈઓ સાથે પાંચ બેઠકો કરી હતી અને પછી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ સાથે મુલાકાત કરી હતી. તેમણે જાપાનના યોશિહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાના સ્કૉટ મોરિસન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. વડાપ્રધાને ત્રણ આંતરિક બેઠકોની પણ અધ્યક્ષતા કરી હતી.

આતંકવાદ, કોરોનાઃ UNમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન-ચીન પર કર્યા આકરા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી દિવસે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન સાથે દ્વિપક્ષીય બેઠક કરી અને પછી ક્વોડના શિખર સમેલનમાં શામેલ થયા. 24 સપ્ટેમ્બરના રોજ તેમણે ચાર આંતરિક બેઠકો પણ કરી. 25 સપ્ટેમ્બરના રોજ અમેરિકાથી ભારત આવવા માટે રવાના થઈ ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાનમાં પણ બે બેઠકો કરી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીના 76મા સત્રના સંબોધનમાં ભારતના વિકાસની ગાથા સમગ્ર વિશ્વને સંભળાવી હતી. વડાપ્રધાને આતંકવાદ અને વિસ્તારવાદ બાબતે ચીન અને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને કડક શબ્દોમાં કહ્યું કે, અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુદ્ધ આતંકવાદ ફેલાવવા માટે ના થવો જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો