એપશહેર

પંજાબમાં નકલી દારૂ પીવાથી 86ના મોત, 7 ઑફિસર સસ્પેન્ડ, 100 જગ્યાએ રેડ

પંજાબમાં નકલી દારૂ પીનારા મૃતકોનો આંકડો સતત વધી રહ્યો છે, આમ આદમી પાર્ટીની CM અમરિંદર સિંહના રાજીનામાની માગણી

I am Gujarat 1 Aug 2020, 11:12 pm
ચંડીગઢ : પંજાબમાં બનાવટી દારૂ પીવાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 86 થઈ ગઈ છે. આના પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કાર્યવાહી કરતા 2 DSP, 4 SHO સહિત 7 આબકારી અધિકારીઓને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે. આની સાથે જ CMએ આ કાંડમાં મૃત્યુ પામનારાઓના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય રકમ આપવાની ઘોષણા કરી છે. પંજાબ પોલીસે શનિવારે 100થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા. આ દરમિયાન વધુ 17 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા.
I am Gujarat punjab spurious liquor news death toll in punjab spurious liquor tragedy rises to 86
પંજાબમાં નકલી દારૂ પીવાથી 86ના મોત, 7 ઑફિસર સસ્પેન્ડ, 100 જગ્યાએ રેડ


પંજાબ પોલીસ અનુસાર, નકલી દારૂથી મોતના પહેલા પાંચ કેસ 29 જુલાઈની રાત અમૃતસરના તારસિક્કાના તાંગડા અને મુચ્છલ ગામમાંથી સામે આવ્યા હતા. ત્યારબાદ મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. જાણકારી અનુસાર, નકલી દારૂ પીવાથી સૌથી વધુ મોત તરણતારણમાં થયા છે. અહીં મૃતકોની સંખ્યા વધીને 42 થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જિલ્લાના સદર અને શહેર વિસ્તારોમાં સૌથી વધુ મોત થયા છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું કે, ઘણા પીડિતોના પરિવાર પોતાના નિવેદનો નોંધાવવા આગળ આવી રહ્યા નહોતા, પણ તેમને આવું કરવા માટે મનાવી લેવામાં આવ્યા. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, મોટાભાગના પરિવારો કાર્યવાહી ઈચ્છતા નથી, તેમાંથી કેટલાકનું પોસ્ટમોર્ટમ પણ નથી થઈ રહ્યું.

નકલી દારૂથી મોતની વાત પર મોટાભાગના પરિવારની ના

આ બધાની વચ્ચે ગુરુદાસપુરના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ ઈશ્ફાકે કહ્યું કે, કેટલાક પરિવારોએ એ વાતને માનવાની ના પાડી દીધી છે કે, તેમના પરિવારજનોના મોત દારૂ પીવાથી થયા છે. DCએ કહ્યું કે, જે લોકો મૃત્યુ પામ્યા છે, તેમના પરિવારમાંથી કેટલાક લોકો સ્વીકારી રહ્યા નથી કે, તેમના મોત નકલી દારૂ પીવાથી થયા છે. તે મોતનું કારણ હાર્ટ એટેક આપી રહ્યા છે.

29 જુલાઈએ પહેલા 5 કેસ સામે આવ્યા

પંજાબના DGP દિનકર ગુપ્તાએ કહ્યું હતું કે, મોતના પહેલા પાંચ કેસ 29 જુલાઈએ રાતે અમૃતસરના તારસિક્કાના તાંગડા અને મુચ્છલ ગામથી સામે આવ્યા હતા અધિકારીઓએ તરણતારણ ઉપરાંત અમૃતસરમાં 11 અને ગુરુદાસપુરના બટાલામાં બુધવાર રાતે 11 લોકોના મોતના સમાચાર આપ્યા હતા. અમૃતસરના SSP (ગ્રામીણ) વિક્રમજીત સિંહ દુગ્ગલે જણાવ્યું કે, તારસિક્કા સ્ટેશનના પ્રભારીને સસ્પેન્ડ કરી દેવાયા છે.

AAPએ માગ્યું કેપ્ટનનું રાજીનામું

બીજી તરફ બનાવટી દારૂની ઘટના પર વિપક્ષી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી અમરિંદર સિંહનું રાજીનામું માગ્યું છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે, મજિસ્ટ્રેટી તપાસથી કામ નહીં ચાલે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અમન અરોડાએ કહ્યું કે, પાર્ટી મુખ્યમંત્રીના રાજીનામાની માગણી કરે છે. બીજી તરફ શિરોમણી અકાલી દલે પણ પંજાબ અને હરિયાણા ઉચ્ચ ન્યાયાલયના વર્તમાન ન્યાયાધીશની તરફથી ન્યાયિક તપાસની માગણી કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો