એપશહેર

પૂના: એકબાજુ કોરોનાના દર્દીમાં વધારો તો બીજી બાજુ ડોક્ટર્સ રજા પર ઉતરી રહ્યા છે

ડોક્ટર્સ અને હેલ્થકર્મીઓ કોરોનાના ડરથી પોતાની કામગીરી છોડવાનું પસંદ કરી રહ્યા છે.

I am Gujarat 4 Sep 2020, 4:12 pm
પૂના: કોરોના વાયરસની મહામારીમાં મહારાષ્ટ્રના પૂના શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પૂના શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1.82 લાખ દર્દીઓ નોંધાયા છે. ત્યારે ત્યાંની મેડિકલ વ્યવસ્થા પર ભારણ વધી ગયું છે.
I am Gujarat q2
પ્રતીકાત્મક તસવીર


પૂનાની કેટલીક પ્રાઈવેટ હોસ્પિટલ્સમાં કોરોનાની મહામારી દરમિયાન સ્ટાફની તંગી જોવા મળી રહી છે કારણકે ઘણાં મેડિકલ પ્રોફેશનલ નોકરી છોડી રહ્યા છે અથવા કામના થાકથી રજા પર ઉતરી ગયા છે. કેટલાંક મેડિકલ પ્રોફેશનલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ રજા પર છે. જ્યારે બીજી બાજુ શહેરમાં સતત કોરોનાના કેસ વધતા હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે પ્રાઈવેટ હોસ્પિટલ્સનું એવું કહેવું છે કે સ્થિતિ અમારા હાથમાં નથી.

પૂના શહેરની મોટી હોસ્પિટલ્સ સાથે જોડાયેલા ડોક્ટર્સ અને હેલ્થકર્મીઓ કોરોનાના ડરથી પોતાની કામગીરી છોડવાનું પસંદ કરી રહ્યા છે અથવા વધુ કામના થાકના કારણે રજા પર ઉતરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ હોસ્પિટલ્સ માટે તેમના ત્યાં દાખલ કોરોનાના દર્દીઓની સારવારમાં મુશ્કેલીઓ નડી રહી છે. હવે આ હોસ્પિટલ્સને નવા સ્ટાફની જરૂર છે પણ હાલ ડોક્ટર્સ તેમજ હેલ્થકર્મીઓ ઉપલબ્ધ નથી.

પૂનાની એક હોસ્પિટલના ડોક્ટરે આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે કોરોનાની મહામારીમાં હેલ્થકર્મીને શોધવા પણ એક પડકાર છે. અને જો કોઈ ડોક્ટર કોરોનાની ડ્યુટી કરવાની ના પાડે તો પણ તેઓ વિરુદ્ધ કોઈ પગલા ભરવામાં આવતા નથી. હોસ્પિટલમાં એકબાજુ ગંભીર દર્દીઓને દાખલ કરવા માટેના દરરોજ 10થી 15 ફોન આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ સ્ટાફની તંગી હોવાથી અમે મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. હોસ્પિટલમાં કોરોના વોર્ડ અને નોન-કોરોના વોર્ડમાં સ્ટાફની તંગી છે. આ કારણે હવે દર્દીઓને યોગ્ય મેડિકલ સુવિધા પૂરી પાડવામાં અમે સક્ષમ નથી.

Read Next Story