નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને દેશની રાજકોષીય ખાધ (ખોટ)ના મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે વધી રહેલી રાજકોષીય ખાધ, એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા માટે ચિંતાજનક છે. બ્રાઉન યુનિવર્સિટીમાં ઓપી જિંદલ લેક્ચર દરમિયાન પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને આ ટિપ્પણી કરી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો રઘુરામ રાજને કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાના ગંભીર સંકટનું કારણ અર્થવ્યવસ્થાના દ્રષ્ટિકોણમાં અનિશ્ચિતતા છે. તેમણે કહ્યું કે ગત વર્ષ સુધી સારું પ્રદર્શન કર્યા બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં ઉલ્લેખનીય સ્તર પર સુસ્તી આવી છે. વર્ષ 2016ના પહેલા ત્રિમાસિકમાં વિકાસ દર 9% રહ્યો હતો. ભારતીય અર્થવ્યવસ્થા સુસ્તીના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. અત્યારના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં વિકાસ દર 6 વર્ષના નિમ્નસ્તર 5% પર પહોંચી ગયો છે અને બીજા ત્રિમાસિકમાં વિકાસ દર 5.3%ની આસપાસ રહેવાની આશા છે. તેમણે કહ્યું કે સૌથી મોટી સમસ્યા એ છે કે વિકાસના નવા સાધન શોધવામાં ભારત નિષ્ફળ રહ્યું છે. રઘુરામ રાજને કહ્યું કે ભારતના નાણાકીય સંકટને એક લક્ષણ તરીકે જોવામાં આવી રહ્યું છે, નહીં કે મૂળ કારણ તરીકે. તેમણે વિકાસના દરમાં ઘટાડા માટે રોકાણ, ખપત અને નિકાસમાં સુસ્તી તથા એનબીએફસી ક્ષેત્રના સંકટને જવાબદાર ગણાવ્યું.
રઘુરામ રાજને આપી ચેતવણી, કહ્યું- ગંભીર સંકટ તરફ વધી રહી છે ભારતીય અર્થવ્યવસ્થા
I am Gujarat 12 Oct 2019, 5:27 pm