એપશહેર

રેલવેની 'લૂટ' : રદ થયેલી ટિકિટોમાંથી આટલા કરોડની કમાણી કરી

Shailesh Thakkar | PTI 12 Jul 2019, 9:45 pm
ઈન્દોર: ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગની સાથે-સાથે ટિકિટ કેન્સલ કરીને પણ મોટી કમાણી કરી છે. આ જાણકારી સૂચનાના અધિકાર (RTI) અંતર્ગત સામે આવી છે. RTIના હવાલેથી જાણકારી મળી છે કે, ભારતીય રેલવેએ નાણાંકીય વર્ષ 2018-19માં ટિકિટ કેન્સલ કરવા પર 1536.85 કરોડ રૂપિયાની કમાણી કરી છે. RTI કાર્યકર્તાએ રેલવે પાસેથી આ જાણકારી માગી હતી કે, શું રેલવે ટિકિટ કેન્સલ કરવાને બદલે મુસાફરો પાસેથી વસૂલવામાં આવતા ચાર્જને ઘટાડવા અંગે વિચાર કરી રહ્યું છે? રેલવેએ આના જવાબમાં અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી. મધ્યપ્રદેશના નીચમ નિવાસી RTI કાર્યકર્તા ચન્દ્રશેખર ગૌડે શુક્રવારે જાણકારી આપી કે, તેમને રેલવે સૂચના વિભાગ તરફથી અલગ-અલગ અરજીઓ પર આ જાણકારી મળી છે. RTI અરજીમાં પૂછવામાં આવેલા સવાલોના જવાબ અનુસાર રેલવેએ આરક્ષિત ટિકિટોના કેન્સલેશન દ્વારા 1518.62 કરોડ રૂપિયા કમાયા છે. અનારક્ષિત ટિકિટિંગ પ્રણાલી (UTS) અંતર્ગત બુક મુસાફર ટિકિટોને રદ કરાવવા પર રેલવેએ 18.23 કરોડ રૂપિયાનું રેવેન્યૂ મેળવ્યું. ગૌડે પોતાની RTI અરજીથી એ જાણવા માગ્યું કે, શું ટિકિટ રદ કરાવવાના બદલે મુસાફરોથી વસૂલવામાં આવતો ટેક્સ ઘટાડવાના કોઈ પ્રસ્તાવ પર વિચાર થઈ રહ્યો છે? RTI કાર્યકર્તાએ કહ્યું કે, ‘આ સવાલના જવાબની હું રાહ જોઉં છું. રેલવે ટિકિટ રદ કરવાની સામે મુસાફરો પાસેથી વસૂલવામાં આવતા ચાર્જને વ્યાપર જનહિતમાં ટૂંક સમયમાં ઘટાડવો જોઈએ.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો