નવી દિલ્હી: ઈંડિયન રેલવેએ જે 48 મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટ જાહેર કરી છે તે ટ્રેનોમાં મુસાફરી માટે ભાડું પણ વધારી દેવાયું છે. હવે આ ટ્રેનો દ્વારા મુસાફરી કરવા માટે સ્લીપર માટે 30 રુપિયા, સેકંડ અને થર્ડ એસી માટે 45 રુપિયા અને ફર્સ્ટ એસી માટે 75 રુપિયાનો વધારાનો સુપરફાસ્ટ ચાર્જ આપવો પડશે. આ 48 ટ્રેનોના ભાડામાં વધારો કરવાથી રેલવેને 70 કરોડ રુપિયાની આવક થશે. 48 ટ્રેનોને અપગ્રેડ કર્યા બાદ સુપરફાસ્ટ ટ્રેનોની સંખ્યા હવે 1072 થઈ ગઈ છે.
નોંધનીય વાત તો એ છે કે રેલવે આ ટ્રેનોની સ્પીડ માત્ર 5 કિમી પ્રતિ કલાક વધારીને 55 કિમી પ્રતિ કલાક કરશે. આ સિવાય અન્ય કોઈપણ લાભો અપાશે નહીં. જો કે એ વાતની કોઈ ગેરંટી નથી કે અપગ્રેડ બાદ પણ ટ્રેનો ટાઈમ પર ચાલશે કે નહીં. આમપણ શિયાળાની ઋતુમાં ધુમ્મસને કારણે ટ્રેનો લેટ જ થાય છે.
સુપરફાસ્ટ ટ્રેનોની હાલત
નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG)એ જુલાઈ માસમાં રજૂ કરેલી પોતાના રિપોર્ટમાં સુપરફાસ્ટ ચાર્જ પર રેલવેની ટીકા કરી હતી. કેગે કહ્યું હતું કે, ‘તપાસ દરમિયાન માલૂમ પડ્યું છે કે વર્ષ 2013-14થી વર્ષ 2015-16 વચ્ચે ઉત્તર-મધ્ય અને દક્ષિણ મધ્ય રેલવેએ મુસાફરો પાસેથી 11.17 કરોડ રુપિયા સુપરફાસ્ટ ચાર્જ તરીકે વસૂલ્યા છે, જ્યારે 21 સુપરફાસ્ટ ટ્રેનો 55 કિમી પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરાઈ છે.’ રેલવે પાસે ઉપલબ્ધ આંકડાઓ પ્રમાણે, આ વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં 890 સુપરફાસ્ટ ટ્રેનો મોડી પડી હતી. જુલાઈમાં 129, ઓગસ્ટમાં 145 અને સપ્ટેમ્બરમાં 183 સુપરફાસ્ટ ટ્રેનો એકથી લઈને 3 કલાક મોડી ચાલી હતી. જોકે જુલાઈ માસમાં 31 અને ઓગસ્ટ માસમાં 37 સુપરફાસ્ટ ટ્રેનો પોતાના શેડ્યુલથી 3 કલાક લેટ ચાલી હતી.
CAGની ફટકાર
કેગે પાછલા રિપોર્ટમાં રેલવેની કડક શબ્દોમાં ટીકા કરી હતી અને કહ્યું હતું કે મુસાફરો પાસેથી સુપરફાસ્ટ ચાર્જ વસૂલવામાં આવે છે, પરંતુ ટ્રેનો નક્કી કરેલી સ્પીડથી નથી ચાલતી અને ન તેમા સારી સુવિધાઓ અપાય છે.
કેમ લેટ થઈ જાય છે ટ્રેન?
– ઘણા રેલવે સ્ટેશનો પર ટ્રેન 2થી 15 કલાક સુધી મોડી ચાલે છે. તેના ઘણા કારણો છે. રેલવે 33 કારણોની યાદી તૈયાર કરી છે. – રેલવે પ્રમાણે, આ પૈકી 7 કારણો એવા છે જેમના પર તેમનું નિયંત્રણ નથી. – તેમાં ચેન પુલિંગ, રેલવે ટ્રેક પર પ્રદર્શન, ખરાબ હવામાન, અકસ્માત અને ખરાબ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વગેરે સામેલ છે. – સુરક્ષા મહાનિદેશાલય પાસે ઉપલબ્ધ સૂચનાઓ પ્રમાણે રેલવે લગભગ તમામ રીજનમાં રેલવે ટ્રેકની રિપેરિંગ કરી રહ્યું છે. તેથી આ તમામ જગ્યાઓએ ફાસ્ટ સ્પીડ પર ટ્રેન દોડાવી શકાય નહી. – જે રેલરુટ્સ પર વધારે ભીડ હોય છે તેમના ક્ષમતા વિસ્તારનું પણ કાર્ય ચાલી રહ્યું છે
15 મિનિટ મોડું, એટલે ઑન ટાઈમ!
રેલવેના નિયમો પ્રમાણે 15 મિનિટ મોડુ થાય તો તેને મોડું નહીં માનવામાં આવે. આ બાદ પંક્ચ્યુઅલ્ટી પેરામીટરને મિનિટના આધારે ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. 16થી 30, 31થી 45 અને 46થી 60 મિનિટ. સૌથી મહત્વનો સેગમેન્ટ 1 કલાક કરતા વધારે મોડું થાય તે છે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.