એપશહેર

રેલવેનું ભોજન માણસને ખાવા લાયક નથી હોતુ: CAG રીપોર્ટ

Hitesh Mori | I am Gujarat 21 Jul 2017, 10:13 pm
I am Gujarat railways serving food unfit for humans says cag report
રેલવેનું ભોજન માણસને ખાવા લાયક નથી હોતુ: CAG રીપોર્ટ


CAGના રિપોર્ટમાં ઉલ્લેખ

પ્રતિકાત્મક તસવીર નવી દિલ્હી: રેલવેમાં પીરસવામાં આવતું ભોજન માણસ માટે ખાવાને લાયક નથી. આ બાબત CAG તરફથી સંસદમાં રજુ કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે. રિપોર્ટમાં લખ્યું છે કે, દુષિત ખાદ્ય પદાર્થો, રિસાયકલ થયેલ ખાદ્ય પદાર્થ અને પેકેજિંગ વસ્તુઓની એક્સપાઈરી ડેટ બાદ પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક નિરિક્ષણમાં મુજબ સ્વચ્છતા જાળવી રાખવા માટે સ્વાસ્થ્ય વર્ધક અને સ્વચ્છ ચીજોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

74 સ્ટેશનોએ ટ્રેનોનું નિરિક્ષણ કરાયું

પ્રતિકાત્મક તસવીર રેલવે અને CAGની જોઇન્ટ ટીમે પસંદ કરેલા 74 સ્ટેશનો અને AC ટ્રેનોનું નિરિક્ષણ કર્યુ હતું. તે દરમિયાન ઓડીટરે નિહાળ્યું કે ભોજન બનાવવા અને સર્વ કરવા માટે સ્વચ્છતા ઉપર જરા પણ ધ્યાન આપવામાં આવતુ નથી. ભોજન બનાવવા માટે અશુધ્ધ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

ડસ્ટબીન પર ઢાંકણ પણ નથી હોતું

પ્રતિકાત્મક તસવીર રેલવેના કિચનમાં ડસ્ટબીનને ઢાંકણુ પણ રાખવામાં આવતુ નથી અને તે સંપુર્ણપણે સાફ પણ નથી હોતા. ભોજનને માખી-કીડા-મકોડા-ઉંદર અને વંદાથી બચાવવા માટે કોઈ પગલા ભરવામાં આવતા નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો