એપશહેર

રાજસ્થાનમાં નવો ડ્રામા, ધારાસભ્યો સાથે રાજ્યપાલ ભવન પહોંચ્યા સીએમ ગેહલોત

રાજસ્થાન હાઈકોર્ટે સચિન પાયલટ જૂથને રાહત આપતા હાલ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપતા રાજસ્થાનના રાજકીય ડ્રામામાં નવો ટ્વિસ્ટ આવ્યો છે.

I am Gujarat 24 Jul 2020, 4:15 pm
જયપુર: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ડ્રામામાં આજે એક નવો ટ્વિસ્ટ આવી ગયો છે. રાજસ્થાન હાઈકોર્ટે શુક્રવારે સ્પીકરની નોટિસ મામલે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપી એક રીતે સચિન પાયલટ પર સ્પીકરના હાથ બાંધી દીધા છે. બીજી તરફ મુખ્યમંત્રી અશોક ગેહલોત વિધાનસભા સત્ર બોલાવવાની માગને લઈને ધારાસભ્યો સાથે રાજ્યપાલના નિવાસસ્થાને પહોંચી ગયા છે.
I am Gujarat રાજયપાલ કલરાજ મિશ્રા અને સીએમ અશોક ગેહલોત


મુખ્યમંત્રી ગહલોતે રાજ્યપાલ ભવન આવતા પહેલા કહ્યું હતું કે, તેઓ રાજ્યપાલને વિધાનસભા સત્ર શરૂ કરવા માટે કહેશે, જેથી એ સાબિત કરી શકાય કે સાચું શું છે અને ખોટું શું છે. જે સમયે ગેહલોત રાજ્યપાલ કલરાજ મિશ્રા સાથે વાતચીત કરી રહ્યા હતા, તે દરમિયાન ગેહલોત સમર્થક ધારાસભ્યો રાજ્યપાલ ભવનની બહાર બેસીને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

ગેહલોતનું કહેવું હતું કે, સચિન પાયલટ જૂથના ધારાસભ્યો પાછા આવવા ઈચ્છે છે, પરંતુ તેમને બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, 'દુઃખ એ વાતનું છે કે, ગઈકાલ રાત સુધી જે નિર્ણય ન લેવાયો. મેં ફોન પર વાત કરી રાજ્યપાલને ફરીથી નિવેદન કર્યું. મેં કહ્યું કે, તમારું બંધારણીય પદ છે અને ઘણું ગરીમાપૂર્ણ છે. તમે નિર્ણય નહીં કરો તો અમે બધા ધારાસભ્યો સાથે આવીને વિનંતી કરીશું. એસેમ્બલીમાં દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે.'

આ પહેલા રાજસ્થાન હાઈકોર્ટે વિધાનસભા સ્પીકરની એ નોટિસ પર સ્ટે લગાવી દીધો, જેમાં બાગી ધારાસભ્યો પર અયોગ્ય જાહેર કરવાનો ખતરો ઊભો હતો. એવામાં સચિન પાયલટ જૂથને આ માલે હાલ પૂરતી રાહત મળી ગઈ છે. સચિન પાયલટ જૂથ તરફથી કેન્દ્ર સરકારને આ મામલે પક્ષકાર બનાવવાની અરજી પર હવે હાઈકોર્ટ કેન્દ્ર સરકારનો પક્ષ પણ સાંભળશે. સાથે જ હોઈકોર્ટે ચથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો