એપશહેર

શાસ્ત્રીજી કથા વાંચતા ઉભા થઈ ગયા અને કહ્યું 'મંડપ ઉડી રહ્યો છે ખાલી કરીને ભાગો', જુઓ વિડીયો

Mitesh Purohit | I am Gujarat 24 Jun 2019, 3:36 pm
બાડમેરઃ રાજસ્થાનનાં બાડમેર નજીક આવેલ જસોલ ગામમાં તોફાનનાં કારણે મંડપ તુટી પડતા મૃત્યુ પામનારનો આંકડો 15 પહોંચી ગયો છે. આ ઘટનામાં 24થી વધુ લોકો ઘાયલ પણ થયા હાત. સત્તાવાર સુત્રો મુજબ 14 લોકોનાં મોત ઘટના સ્થેળે જ થયા હતા. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો આ દરમિયાન ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે રામકથા દરમિયાન અચાનક તોફાની પવન શરુ થતા કથાવાચક લોકોને તાત્કાલીક પંડાલ ખાલી કરવા અપીલ કરતા દેખાચ છે. તેમજ વીડિયોના અંતે વાતવાણને વધુ રૌદ્ર બનતા જોઈ કથાવાચક પોતે પણ સ્થળ પરથી ઉઠીને ચાલ્યા જતા જોઈ શકાય છે. રવિવારે બનેલ આ દુઃખદ ઘટનામાં બાડમેરમાં અચાનક તોફાની પવન અને વરસાદથી પળવારમાં જ આખો મંડપ ખેદાનમેદાન થઈ ગયો હતો. 22 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે કથાવાચક મુરલીધરજી મહારાજ જસોલા ગામમાં પ્રવચન કાર્યક્રમ દરમિયાન લોકોને રામકથા સંભળાવી રહ્યા હતા. તેમણે ઘટનાની સેકન્ડો પહેલા મંડપમાં હાજર લોકોને મંડપ પડી રહ્યો હોવાનાં કારણે બહાર નિકળી જવા માટેની અપીલ કરી હતી. આ દરમિયાન કથાવાચક કથા અટકાવવાની વાત કરી રહ્યા છે. વીડિયોમાં કથાવાચક કહી રહ્યા છે, હવા ખુબ જ વધારે તે કથા રોકવી પડશે. હવાનાં કારણે મંડપ પણ ઉડી રહ્યો છે. ખાલી કરી દો અને બહાર નિકળી જાઓ. પંડાલ ધીરે ધીરે હવા ભરાવાનાં કારણે ઉંચો ઉડી રહ્યો છે. આ દરમિયાન કથાવાચક વ્યાસ પીઠ છોડીને ભાગતા પણ જોઇ શકાય છે. ઘટનાની માહિતી બાદ વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી અશોક ગહલોત, ગૃહમંત્રી અમિત શાહે મૃતકો પ્રત્યે શોક સંવેદના પ્રકટ કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો