નવી દિલ્હી: ગૃહ મંત્રી રાજનાથ સિંહે સોમવારના રોજ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ડોકલામ વિવાદનો ટુંક સમયમાં અંત લાવવામાં આવશે. તેમણે આડકતરી રીતે ચીનને ચેતવણી આપી છે કે ભારત પાસે એટલી બહાદુર સેના છે કે કોઈ ભારત તરફ આંખ ઉઠાવીને જોવાની હિંમત નહીં કરી શકે. રાજનાથ સિંહે ભારત તિબેટ બોર્ડર પોલીસ(ITBP)ના એક સમારોહમાં કહ્યું કે, ટુંક જ સમયમાં સમાધાન શોધવામાં આવશે અને મને વિશ્વાસ છે કે ચીન કોઈ સકારાત્મક પગલું લેશે. અમે દરેક પાડોશી દેશને મેસેજ આપવા માંગીએ છીએ કે ભારત શાંતિ ઈચ્છે છે. ઈન્ડિયન સિક્યોરિટી ફોર્સ દેશની સરહદોની રક્ષા કરવા માટે સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે ITBP જમ્મુ-કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી 4057 કિલોમીટર લાંબી ભારત-ચીન બોર્ડરની રક્ષા કરે છે.
'કોઈ પણ દેશમાં ભારત સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત નથી'
I am Gujarat 21 Aug 2017, 3:26 pm