ગૃહમંત્રી રાજનાથ સિંહ 3 ઑગષ્ટના રોજ થનારી સાર્ક ઈંટીરિયર એન્ડ હોમ મિનિસ્ટર્સ કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે ઈસ્લામાબાદ જશે. પઠાણકોટ ઈન્ડિયન એરબેસ અટેક અને કાશ્મીરના તાજેતરના તણાવ બાદ ભારતના કોઈ વરિષ્ઠ નેતાનો આ પહેલો પાકિસ્તાન પ્રવાસ થશે.
આવા વાતાવરણમાં રાજનાથ સિંહને પાકિસ્તાન પ્રવાસ પર મોકલીને ભારત કદાચ સંદેશો આપવા માંગ છે કે ક્ષેત્રીય વિકાસ માટે થનારા દરેક પ્રયત્નો અને વાતાઘાટોમાં ભારત સક્રિય ભાગીદાર છે. દક્ષિણ એશિયાના દેશો માટે સાર્કનું ઘણું મહત્વ છે અને ભારત તેના મુખ્ય સભ્યમાંથી એક છે. આ સંજોગોમાં રાજનાથ સિંહ જો કૉન્ફરન્સમાં ગેરહાજર રહેતાં તો નકારાત્મક છાપ ઉભી થતી.
સરકારી સૂત્રોએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને જણાવ્યું કે ગૃહમંત્રી બે દિવસ માટે પાકિસ્તાન જશે. આ દરમિયાન તે કૉન્ફરન્સ અટેન્ડ કરવાની સાથે નવાઝ શરીફ સરકારના વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ સાથે વાર્તાલાપ પણ કરી શકે છે.
અત્યાર સુધી રાજનાથ સિંહની પાકિસ્તાન યાત્રા થશે કે નહિ તે એક પ્રશ્ન હતો, પણ હવે તેમનું જવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
આવા વાતાવરણમાં રાજનાથ સિંહને પાકિસ્તાન પ્રવાસ પર મોકલીને ભારત કદાચ સંદેશો આપવા માંગ છે કે ક્ષેત્રીય વિકાસ માટે થનારા દરેક પ્રયત્નો અને વાતાઘાટોમાં ભારત સક્રિય ભાગીદાર છે. દક્ષિણ એશિયાના દેશો માટે સાર્કનું ઘણું મહત્વ છે અને ભારત તેના મુખ્ય સભ્યમાંથી એક છે. આ સંજોગોમાં રાજનાથ સિંહ જો કૉન્ફરન્સમાં ગેરહાજર રહેતાં તો નકારાત્મક છાપ ઉભી થતી.
સરકારી સૂત્રોએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને જણાવ્યું કે ગૃહમંત્રી બે દિવસ માટે પાકિસ્તાન જશે. આ દરમિયાન તે કૉન્ફરન્સ અટેન્ડ કરવાની સાથે નવાઝ શરીફ સરકારના વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ સાથે વાર્તાલાપ પણ કરી શકે છે.
અત્યાર સુધી રાજનાથ સિંહની પાકિસ્તાન યાત્રા થશે કે નહિ તે એક પ્રશ્ન હતો, પણ હવે તેમનું જવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.