એપશહેર

રાજ્યસભામાંથી સસ્પેન્ડ થયેલા 8 સાંસદોએ ધરણાં ખતમ કર્યા

સાંસદોએ ધરણાં ખતમ કર્યા પરંતુ તેમનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય ત્યાં સુધી વિપક્ષે ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો.

I am Gujarat 22 Sep 2020, 12:18 pm
રાજ્યસભા સાંસદોએ સોમવારથી ચાલી રહેલા ધરણાં ખતમ કરી દીધા છે પરંતુ સાંસદોએ સસ્પેન્શન ખતમ ન થવા સુધી રાજ્યસભાનો બહિષ્કાર કરશે. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, આઠ સદસ્યોને સસ્પેન્ડ કરવાના નિર્ણયને રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિપક્ષ ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરશે.
I am Gujarat mps
સંસદ પરિસરમાં ધરણાં પર બેઠેલા સાંસદોની તસવીર


કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ સૈયર નાસિર હુસૈને કહ્યું કે તમામ વિપક્ષી દળોએ બાકીના સત્રનો બહિષ્કાર કર્યો છે. તેમણે કહ્યું કે, તમામ સાંસદો ધરણાં સમાપ્ત કરી રહ્યા છે અને સંસદના બાકીના સત્રનો બહિષ્કાર કરશે. તેમણે કહ્યું કે, અમે માત્ર આટલું જ નથી ઈચ્છતા સાંસદોનું સસ્પેન્શન પાછું લેવા સાથે કૃષિ બિલ પર મતદાન થાય પરંતુ આવું કંઈ નથી થઈ રહ્યું કારણ કે સભાપતિ કોઈની વાતને સાંભળવા માટે તૈયાર જ નથી.

ઉલ્લેખનીય છે કે આજે સવારે જ રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ 20 સપ્ટેમ્બરે કૃષિ બિલને પાસ કરવા દરમિયાન વિપક્ષના સાંસદો તરફથી કરાયેલા અનિયંત્રિત વ્યવહાર વિરુદ્ધ 24 કલાક માટે ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. બીજી તરફ રાજ્ય સભામાંથી સસ્પેન્ડ થયેલા આઠ સાંસદો આખી રાત ગાંધી પ્રતિમા સામે ધરણાં પર બેસી રહ્યા હતા. તેના પર મંગળવારે સવારે ડેપ્યુટી ચેરમેન હરિવંશ જાતે ત્યાં પહોંચી ગયા. તે પોતાની સાથે સાંસદો માટે ચા લઈને ગયા હતા. હરિવંશે પોતાના હાથે ચા કાઢી. જોકે વિપક્ષના સાંસદોએ ચા પીવાથી ઈનકાર કરી દીધો. તેમણે એવા સાંસદો સાથે ખૂબ જ ઉત્સાહથી વાત કરી જેમાંથી કેટલાકનો વ્યવહાર રવિવારે તેમના પ્રત્યે ઠીક નહોતો.

સદનમાં લોકતંત્રનું ચીરહરણ'
ઉપ સભાપતિ હરિવંશે કહ્યું, નીચેથી કાગળના રોલ બનાવીને આસન પર ફેંકવામાં આવ્યા. આક્રામક વ્યવહાર, ગંદા અને અસંસદીય સૂત્રોના નારા લાગ્યા. હૃદય અને માનસને બેચેન કરનારો લોકતંત્રના ચીરહરણનો નજારો આખી રાત મારા મગજમાં ચાલતો રહ્યો. આ કારણે હું આખી રાત ઊંઘી ન શક્યો. આગળ તેઓ કહે છે, ગામનો માણસ છું, મને સાહિત્ય, સંવેદના અને મૂલ્યોએ ઘડ્યો છે.

પીએમ મોદીએ કરી પ્રશંસાબીજી તરફ સંસદ પરિસરમાં સસ્પેન્ડ થવાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા સાંસદોને ચા પીવડાવવા પર પ્રધાનમંત્રી મોદીએ રાજ્યસભાના ઉપ સભાપતિ હરિવંજ જીના ઉદાર હૃદય અને વિનમ્રતાની ટ્વીટ કરીને પ્રશંસા કરી. પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું, બિહારની ધરતીએ સદીઓ પહેલા સમગ્ર વિશ્વને લોકતંત્રની શિક્ષા આપી હતી. આજે તે જ બિહારની ધરતી પ્રજાતંત્ર પ્રેમથી પ્રેરિત અને આનંદિત કરનારી છે. પીએમ બીજા ટ્વીટમાં લખે છે. આ હરિવંશજીની ઉદારતા અને મહાનતાને દર્શાવે છે. લોકતંત્ર માટે તેનાથી સુંદર સંદેશ બીજો કયો હોઈ શકે. હું આ માટે તેમને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું.

Read Next Story