એપશહેર

Railway News: ભીડવાળાં સ્ટેશનો પર વસૂલાશે યુઝર ચાર્જ, રેલવે ટિકિટ થશે મોંઘી

ભારતીય રેલવે તેના સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ કરવાની યોજના પર આગળ વધી રહ્યું છે. સ્ટેશનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવાના ખર્ચ માટે મુસાફરો પાસેથી યુઝર ફી વસૂલાશે.

TNN 18 Sep 2020, 11:01 am
દીપક કે. દાસ, નવી દિલ્હી: જો તમે ભીડવાળાં રેલવે સ્ટેશનો પરથી કોઈ ટ્રેન પકડશો તો તમારી યાત્રા થોડી મોંઘી થઈ શકે છે. રેલવે દ્વારા ભીડવાળાં સ્ટેશનો પર મુસાફરો પાસેથી 'યુઝર ફી' વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુઝર ચાર્જ, એર ટિકિટની જેમ જ રેલવે ટિકિટના ચાર્જમાં જ સમાવિષ્ટ કરવામાં આવશે. જો કે, આ ખૂબ ઓછી રકમ હશે. રેલવે આ નાણાં સ્ટેશનોના રી-ડેવલપમેન્ટ અને ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને આધુનિક બનાવવા માટે ખર્ચ કરશે.
I am Gujarat 3
પ્રતિકાત્મક તસવીર


રેલ્વે બોર્ડના સીઈઓ અને અધ્યક્ષ વી.કે. યાદવે કહ્યું કે, અમે યુઝર ચાર્જ તરીકે નાની રકમ વસૂલ કરીશું. અમે એવા સ્ટેશનો પર યુઝર ચાર્જ વસૂલવા માટે એક નોટિફિકેશન જારી કરીશું જેને રી-ડેવલપ કરવામાં આવી રહ્યું છે અથવા કરી દીધું છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી સ્ટેશનોના રી-ડેવલપમેન્ટનું કામ ચાલુ રહેશે ત્યાં સુધી યુઝર ચાર્જ તરીકે વસૂલવામાં આવેલી રકમનો ઉપયોગ સ્ટેશનો પર મુસાફરોને સારી સુવિધા આપવા માટે કરવામાં આવશે. યાદવે કહ્યું કે સ્ટેશનોના રી-ડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થયા બાદ ટિકિટ છૂટથી આ રકમ નુકસાનથી સરભર કરવામાં આવશે.

તેમણે કહ્યું કે યુઝર ચાર્જ એટલો ઓછો હશે કે મુસાફરોને મુશ્કેલી ન પડે. યાદવે કહ્યું કે આ જરૂરી છે કારણ કે ભારતીય રેલવે તેના મુસાફરોને વિશ્વકક્ષાની સુવિધા પૂરી પાડવા માટે આગ્રહ કરી રહી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું દરેક રેલ્વે સ્ટેશન પર યુઝર ફી લેવામાં આવશે, યાદવે કહ્યું કે 7 હજાર રેલ્વે સ્ટેશનો છે જેમાં ફક્ત 10થી 15 ટકા સ્ટેશનો પર જ ચાર્જ લેવામાં આવશે. આ 700 થી 750 રેલ્વે સ્ટેશનો એવા હશે જ્યાં આગામી પાંચ વર્ષમાં ભીડ વધવાની સંભાવના છે.

અગાઉ રેલવે અધિકારીઓએ ઘણી વખત કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, વિકસિત સ્ટેશનો પર જ યુઝર ચાર્જ વસૂલ કરવામાં આવશે. રેલ્વે મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, સ્ટેશનો પર જેટલી સુવિધાઓ વધશે તેની સામે યુઝર ફી કઈ નહીં હોય. યુઝર ચાર્જ એકત્રિત કરવાની પ્રક્રિયા ધીમે ધીમે શરૂ થશે અને સ્ટેપ બાય સ્ટેપ 10થી 15 ટકા સ્ટેશનો પર લાગુ થશે. રેલવે મંત્રી પિયુષ ગોયલે પણ લોકસભામાં લેખિત જવાબમાં તેની પુષ્ટિ કરી છે.

Read Next Story