એપશહેર

'મંદિર રાજીવ ગાંધીએ ખોલાવ્યું હતું, ક્રેડિટ ન લો'

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે રામ મંદિર નિર્માણને લઈને ભારતીય જનતા પાર્ટી પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો. આ ઉપરાંત રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પણ રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને ટ્વીટ કરી.

I am Gujarat 5 Aug 2020, 10:08 pm
ભોપાલ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન સંપન્ન થઈ ગયું. વડાપ્રધાન સહિત અન્ય વિશિષ્ટ અતિથિ આ કાર્યક્રમમાં સામેલ થયા. ભૂમિ પૂજનને લઈને પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે રામ મંદિર નિર્માણને લઈને ભારતીય જનતા પાર્ટી પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. કમલનાથે કહ્યું કે, રામ મંદિરનું તાળું રાજીવ ગાંધીએ ખોલાવ્યું હતું. એવામાં કોઈ બીજું ક્રેડિટ લે તો એ ખોટું છે.
I am Gujarat Kamalnath


કમલનાથે કહ્યું કે, 'આજે આપણા દેશમાં એક ઐતિહાસિક દિવસ છે, દરેક ભારતીય ઈચ્છતો હતો કે, રામ મંદિરનું નિર્માણ શરૂ થાય. રાજીવ ગાંધીજીએ 1985માં તાળું ખોલ્યું હતું, તેમણે 1989માં કહ્યું હતું કે, કે રામ રાજ્ય હશે અને મંદિર બનવું જોઈએ. જો કોઈ શ્રેય લેવાનો પ્રયાસ કરે છે, તો એ ખોટું છે.' આ પહેલા કમલનાથે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન પ્રસંગે પોતાના નિવાસ સ્થાન પર 'રામ દરબાર'નું આયોજન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 1986માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વીર બહાદુર સિંહને મનાવ્યા અને રામ જન્મભૂમિ મંદિરના તાળા ખોલાવ્યા અને પછી લોકોને ભગવાન શ્રીરામના દર્શનની તક મંળી.
આ પણ વાંચો: અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન, દેશભરમાં થઈ ઉજવણી
રામ પ્રેમ છે, તે ક્યારેય ધૃણામાં પ્રકટ ન થઈ શકેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન થવા પર દેશવાસીઓને શુભકામના આપતા કહ્યું કે, ભગવાન રામ મનના ઊંડાણમાં રહેલી માનવતાની મૂળ ભાવના છે અને તે ક્યારેય ધૃણા તેમજ અન્યાયમાં પ્રકટ ન થઈ શકે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, 'મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ સર્વોત્તમ માનવીય ગુણોનું સ્વરૂપ છે. તે આપણા મનના ઊંડાણમાં રહેલી માનવતાની મૂળ ભાવના છે. રામ પ્રેમ છે. તે ક્યારેય ધૃણામાં પ્રકટ ન થઈ શકે.'
રામ મંદિર ભૂમિપૂજનની શુભકામનાઓઃ સુરજેવાલા
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી કે, 'રામ મંદિર ભૂમિ પૂજનની શુભકામનાઓ. આશા છે કે, ત્યાગ, કર્તવ્ય, ઉદારતા, એકતા, બંધુત્વ, સદ્ભાવ, સદાચારના મૂલ્ય જીવન પથનો આદર્શ બનશે. જય સિયા રામ.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો