Ramayan Expresses Will Launch Soon In Rajkot From December
શ્રીરામ જ્યાં-જ્યાં ગયા હતા ત્યાં તમને લઈ જશે આ રામાયણ એક્સપ્રેસ
I am Gujarat29 Oct 2018, 8:51 pm
ત્રણ નવી રામાયણ એક્સપ્રેસ શરૂ કરવામાં આવશે
ભારતીય રેલવે માટે રામાયણ સર્કિટ પર ચલાવવામાં આવતી આ વિશેષ ટૂરિસ્ટ ટ્રેન લાભદાયી સાબિત થઈ રહી છે. પ્રથમ ટ્રેનથી ઉત્સાહિત થઈને હવે રેલવે નવી ત્રણ રેલગાડીઓ શરૂ કરવા જઈ રહ્યું છે. આ રેલગાડીઓ દેશના વિવિધ ભાગોથી શરૂ થઈને રામાયણ સાથે જોડાયેલા તીર્થ સ્થળો પર યાત્રીઓને લઈ જશે. પ્રથમ ટ્રેન દિલ્હીથી ચેન્નઈની વચ્ચે 14 નવેમ્બરથી આરંભ થઈ રહી છે.
નવી ત્રણ ટ્રેન રાજકોટ, જયપુર અને મદુરૈથી શરૂ થશે
રેલ અધિકારીઓનું કહેવું છે કે જ્યારે આ રામાયણ એક્સપ્રેસની 7 જુલાઈના રોજ ઘોષણા થઈ હતી ત્યારે તેના 15 દિવસની અંદર જ તેની તમામ સીટો બૂક થઈ ગઈ હતી. હવે આઈઆરસીટીસી આવી જ રામાયણ એક્સપ્રેસની નવી ત્રણ ટ્રેન રાજકોટ, જયપુર અને મદુરૈથી શરૂ કરશે. આ તમામ ટ્રેન ચોક્કસ અયોધ્યા જશે કે જેને ભગવાન શ્રીરામનું જન્મસ્થળ માનવામાં આવે છે.
રામાયણ એક્સપ્રેસમાં 800 યાત્રીઓ માટેની જગ્યા
રામાયણ એક્સપ્રેસમાં સ્લીપર ક્લાસ હશે. જેમાં 800 યાત્રીઓ મુસાફરી કરી શકે છે. જે લોકો શ્રીલંકા જવા માગે છે તેઓ ચેન્નઈથી કોલંબો ફ્લાઈટમાં જઈ શકે છે.
7 ડિસેમ્બરથી રાજકોટથી આ ટ્રેનનો પ્રારંભ થશે
ગુજરાતના રાજકોટ જિલ્લાથી 7 ડિસેમ્બરના રોજ આ રામાયણ એક્સપ્રેસનો પ્રારંભ થશે. આ ટ્રેનમાં સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, આણંદ, વડોદરા, ગોધરા, દાહોદ અને મેઘનગરથી યાત્રીઓ બેસી શકશે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.