એપશહેર

ભીમા-કોરેગાંવ હિંસાઃ રામદાસ અઠાવલેએ જિગ્નેશ મેવાણીનો કર્યો બચાવ

Hitesh Mori | I am Gujarat 7 Jan 2018, 10:55 am
I am Gujarat ramdas athawale says jignesh mevani not responsible for bhima koregaon violence
ભીમા-કોરેગાંવ હિંસાઃ રામદાસ અઠાવલેએ જિગ્નેશ મેવાણીનો કર્યો બચાવ


જિગ્નેશ મેવાણી સામે ભડાકાઉ ભાષણનો ગુનો

પુણેઃ ભીમા-કોરેગાંવ હિંસામાં પુણે પોલીસ તરફથી ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે ભડકાઉ ભાષણ આપવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેની સામે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ મેવાણીનો બચાવ કર્યો છે. અઠાવલેએ કહ્યું કે એક જાન્યુઆરીએ પુણે જિલ્લાના ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસા માટે ગુજરાતના આ ધારાસભ્ય જવાબદાર નથી.

દલિતો પર હુમલો થયો હતો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા બાદ પુણેમાં મીડિયા સાથે વાતચીતમાં પ્રમુખ દલિત નેતા અઠાવલેએ કહ્યું કે એક જાન્યુઆરીએ ભીમા-કોરેગાંવમાં યુદ્ધ સ્મારકમાં આવનારા દલિતો પર હુમલો થયો હતો.

‘હિન્દુત્વવાદી નેતાઓ જવાબદાર’

દલિત નેતાઓએ હુમલા માટે કેટલાક ખાસ હિન્દુત્વવાદી નેતાઓને જવાબદાર ગણાવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ નેતાઓએ એક દિવસ પહેલા મેવાણીના ભડકાઉ ભાષણને જવાબદાર ગણાવ્યું હતું.

જિગ્નેશ મેવાણી જવાબદાર નથી

કેન્દ્રીય સમાજિક ન્યાય રાજ્યમંત્રી અઠાવલે કહ્યું, ‘જિગ્નેશ ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસા માટે જવાબદાર નથી. મેં તે વિસ્તારની મુલાકાત લીધી હતી. ધર્ષણ ઓછું થયું હતું. એટલા માટે હું 31 ડિસેમ્બરના રોજ દિલ્હી પરત જતો રહ્યો હતો. તે દિવસ જિગ્નેશે પુણેમાં પોતાનું ભાષણ આપ્યું હતું. તે ભીમા કોરેગાંવ ગયો ન હતો. કેટલાક સંગઠનોએ રાત્રે બેઠક કરી હતી અને એક જાન્યુઆરીએ હિંસા ફેલાઈ.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો