એપશહેર

વિવાદ વધતા બાબા રામદેવે એલોપેથી વિશેનું પોતાનું વાંધાજનક નિવેદન પાછું લીધું

સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પત્ર લખ્યા બાદ યોગ ગુરૂ બાબા રામદેવે પોતાનું નિવેદન પાછુ લઈ લીધું છે

I am Gujarat 23 May 2021, 11:45 pm
નવી દિલ્હીઃ યોગ ગુરૂ બાબા રામદેવે ડોક્ટરો અને એલોપેથીને લઈને આપેલું પોતાનું વિવાદાસ્પદ નિવેદન પાછુ લઈ લીધું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનને બાબા રામદેવને પત્ર લખ્યો હતો ત્યારબાદ તેમણે આ નિવેદન પાછું લીધું છે.
I am Gujarat baba ramdev6

એલોપેથીને 'મૂર્ખતાભર્યું વિજ્ઞાન' કહી બાબા રામદેવે ઊભો કર્યો વિવાદ, મુશ્કેલીમાં મૂકાયાબાબા રામદેવેદ ટ્વિટર પર કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનને સંબોધિત કરતા લખ્યું હતું કે, તમારો પત્ર મળ્યો, તે અંગે સારવારની પદ્ધતિઓના સંઘર્ષના આ સમગ્ર વિવાદને પૂરો કરતા હું મારું નિવેદન પાછું લઉ છું અને આ પત્ર તમને મોકલી રહ્યો છું.
રામદેવે પતંજલિના લેટરપેડ પર પોતાની સફાઈમાં જણાવ્યું છે કે, અમે આધુનિક તબીબી સારવાર અને એલોપેથીના વિરોધી નથી. અમે માનીએ છીએ કે જીવન રક્ષા પ્રણાલી અને સર્જરીના ક્ષેત્રમાં એલોપેથીએ ઘણો વિકાસ કર્યો છે. આ માનવતાની સેવા છે.
ભારતમાં કોરોનાથી 3 લાખથી વધુના મોત, અમેરિકા-બ્રાઝિલ બાદ ત્રીજો દેશ બન્યોતેમણે કહ્યું હતું કે તેમનો જે વિડીયો રજૂ કરવામાં આવ્યો છે તે કાર્યકર્તાઓ સાથેની એક બેઠકનો છે. જેમાં તેમણે વોટ્સએપ પર આવેલા એક મેસેજને વાંચીને સંભળાવ્યો હતો. પરંતુ જો તેનાથી કોઈની લાગણીઓને ઠેસ પહોંચી છે તો તેમનો મને અફસોસ છે.
આ પહેલા ડો. હર્ષવર્ધને પોતાના પત્રમાં કહ્યું હતું કે કોરોના વિરદ્ધ જંગમાં દિવસ રાત સેવા કરી રહેલા ડોક્ટરો અને અન્ય સ્વાસ્થ્ય કર્મીઓ ભગવાન સમાન છે. રામદેવના આ નિવેદને કોરોના યોદ્ધાઓનું અપમાન કર્યું છે અને સમગ્ર દેશની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેથી તેઓ પત્ર લખીને પોતાનું વાંધાજનક નિવેદન પાછું લેવાની અપીલ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, એલોપેથિ દવાઓ અને ડોક્ટરો પરની તમારી ટિપ્પણીથી દેશવાસીઓની લાગણીઓને ઠેસ પહોંચી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો