એપશહેર

BJPના MLA અને તેમના ભત્રીજા પર ગેંગરેપનો ગંભીર આરોપ

Hitesh Mori | I am Gujarat 19 Feb 2020, 7:22 pm
ભદોહીઃ ઉત્તર પ્રદેશના ભદોહીથી ભારતીય જનતા પાર્ટી(BJP)ના ધારાસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી સહિત સાત લોકો સામે બુધવારે ગેંગરેપનો ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલા વારાણસીની રહેવાસી છે અને થોડા દિવસ પહેલા જ તેણે પોલીસ કમિશન કચેરી ખાતે પોતાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ધારાસભ્ય સહિત સાત લોકોને આરોપી દર્શાવવામાં આવ્યા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરોપોલીસ અધીક્ષક રામ બદન સિંહે આ અંગે માહિતી આપતા કહ્યું કે, ‘એક મહિલાએ ગત 10 ફેબ્રુઆરી અરજી કરીને આરોપ લગાવ્યો હતો કે તેની સાથે BJPના ધારાસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી અને તેમના સાથીઓ સંદીપ, સચિન, ચંદ્રભૂષણ, દીપક, પ્રકાશ અને નીતેશે એક હોટલમાં એક મહિના સુધી વારંવાર બાળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત તે ગર્ભવતી બની તો બળજબરીપૂર્વક તેનો ગર્ભપાત કરાવી દેવામાં આવ્યો.’મેડિકલ તપાસ બાદ આગળની કાર્યવાહીતેમણે જણાવ્યું કે આ કેસની તપાસ પોલીસ અધીક્ષક રવિન્દ્ર વર્માને સોંપવામાં આવી છે. મહિલાના નિવેદન અને હોટસ સહિત તમામ મુદ્દે તપાસ બાદ બુધવારે BJP ધારાસભ્ય સહિત સાત આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે મહિલાનું મેજિસ્ટ્રેટ સામે નિવેદન તેમજ મેડિકલ તપાસ પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.આ ઘટના સામે આવ્યા બાદ ભગોહીમાં રાજકારણ ગરમાયું છે. ભદોહી અને જ્ઞાનપુરના ધારાસભ્ય વચ્ચે રાજકીય અદાવત વધુ ઉગ્ર બની છે. વારાણસીના લોહટિયા નિવાસી એક વિધવા મહિલાએ પોલીસ અધીક્ષક આરબી સિંહને આપેલી અરજીમાં આરોપ લગાવ્યો છે કે ભદોહીના BJP ધારાસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠીના ભત્રીજા સંદીપે સાથે છ વર્ષ પહેલા મુંબઈથી પરત ફરતી વખતે મુલાકાત થઈ હતી.મહિલાએ આરોપ લગાવ્યો છે કે યુપીના 2017ની ચૂંટણી દરમિયાન ભગોહી શહેરની એક હોટલમાં તેને દોઢ મહિના સુધી રાખવામાં આવી હતી. આ દરમિયાન તેની સાથે વારંવાર દુષ્કર્મ કરવામાં આવતું હતું. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તે સમયે ચૂંટણીમાં ઉતરેલા રવીન્દ્રનાથ ત્રિપાઠીએ પણ તેમના પર દુષ્કર્મ આચર્યું હતું.વિપક્ષી ધારાસભ્ય પર ષડયંત્રનો આરોપત્રિપાઠીનો દાવો છે કે આ તેમની લોકપ્રિયતાથી ડરી ગેયલા વિરોધી જ્ઞાનપુરના ધારાસભ્ય વિજય મિશ્રા તરફથી ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ ધારાસભ્ય સામે ગેરકાયદે ખનન અને અન્ય વિકાસકાર્યમાં ભ્રષ્ટાચારની ફરિયાદ તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કરી હતી. મહિલા સાથે જો એવું કઈ થયું હતું તો તે 6 વર્ષ સુધી ચૂપ કેમ રહી. હું કોઈ પણ તપાસ માટે તૈયાર છું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો